મહારાષ્ટ્રના નાસિકમાં મોટો અકસ્માત, ટેમ્પો અને ટ્રક વચ્ચે અથડામણ; 8 લોકોના મોત, ઘણા ઘાયલ

મહારાષ્ટ્રના નાસિકમાં રવિવારે એક મોટી દુર્ઘટના થઈ. નાસિક જિલ્લાના દ્વારકા સર્કલમાં ટેમ્પો અને ટ્રક વચ્ચેની અથડામણમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સાંજે 7.30 વાગ્યે અયપ્પા મંદિર પાસે થયો હતો.
ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે અકસ્માત
પોલીસ અધિકારીએ કહ્યું, “ટેમ્પોમાં 16 મુસાફરો હતા, જેઓ અહીં સિડકો વિસ્તારમાં જઈ રહ્યા હતા. તેઓ નિફાડમાં ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. ટેમ્પો ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પાછળથી લોખંડના સળિયા ભરેલી ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માતમાં કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક
છે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયબિહારથી મોટા સમાચાર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો કેસમાં ખાન સરને રાહત, આગોતરા જામીન મળ્યા
14 કલાક પહેલા
રાષ્ટ્રીયલખનૌ-કાનપુર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, 3 કલાકની મુસાફરી માત્ર 45 મિનિટમાં પૂર્ણ થશે
14 કલાક પહેલા
રાષ્ટ્રીયચોકીદાર દ્વારા શૌચાલયમાં 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો; લોકોમાં રોષ ફાટી નીકળ્યો
15 કલાક પહેલા
રાષ્ટ્રીયરામ મંદિરમાં નીકળી CEO ની નોકરી, 50 થી 70 વય મર્યાદાના લોકો કરી શકે અરજી
16 કલાક પહેલા
