મહાવીર સ્વામી જિનાલય ખાતે પંચ કલ્યાણક પૂજા સાથે આંગી સજાવાય; જૈન ધર્મના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ગુરૂવારે પાટણ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે જન્મેલા મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શહેરના ઢંઢેરવાડામાં આવેલા મહાવીર સ્વામી જિનાલયમાં પુજા- આરાધનાનું વિશેષ આયોજન કરાયું હતું. જિનાલયમાં બિરાજમાન પ્રભુ મહાવીરની પ્રતિમાને કેસર,વરખ, ફૂલ, સૂતરના દોરા અને બાદલાથી સુંદર આંગી કરવામાં આવી હતી. જેના દિવ્ય દર્શન કરી સર્વ ભકતોએ ધન્યતા અનુભવી હતી. શહેરના સાલવીવાડા ના શાંતિનેમી મંડળ દ્વારા પંચ કલ્યાણક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. તો પીંપળાગેટ વિસ્તારના પ્રાચીન પંચાસર દેરાસરમાં પણ આ પવિત્ર પ્રસંગે વિશેષ આયોજન કરાયું હતું જેમાં અહીં પાર્શ્વનાથ પ્રભુની સુંદર આંગી રચના કરી જૈન અને જૈનેતર શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના અને અભિષેક વિધિમાં ભાગ લઈભક્તોએ ભગવાન મહાવીર સ્વામીના શુભ આશીર્વાદ પ્રાપ્ત કયૉ હતાં.
પાટણમાં ભક્તિ સભર માહોલમાં મહાવીર જન્મકલ્યાણક ની ઉજવણી કરાઈ

ટેગ્સ:#Mahavir Janmakalyanak#Lord Mahavir Swami#Jainism Celebration#Panch Kalyanak Puja#Patan City Events#Religious Festivities#Devotional Atmosphere#Chaitra Sud Teras#Mahavir Swami Jinalaya#Blessings and Darshan
સંબંધિત સમાચાર
પાટણપાટણ તંત્રની બેદરકારી સામે આવી, ઢોર ડબ્બામાં 4 ગાયોના મોત મામલે તપાસની માંગ
18 કલાક પહેલા
પાટણપાટણ કોન્ટ્રાક્ટર એસો.દ્વારા બિલ્ડિંગ મટિરિયલ્સના ભાવ વધારા મામલે કલેક્ટરને આવેદન આપ્યું
19 કલાક પહેલા
પાટણજન રક્ષક અને ચાઈલ્ડ લાઈન એક્શનમાં: પાટણમાં થતા બાળલગ્ન અટકાવાયા
19 કલાક પહેલા
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
2 દિવસ પહેલા
