રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ30 જાન્યુઆરી, 2026| Super Admin

રાધનપુરમાં જૂની અદાવતમાં વકીલ પરિવાર પર હથિયારોથી હુમલો કરાયો

રાધનપુરમાં જૂની અદાવતમાં વકીલ પરિવાર પર હથિયારોથી હુમલો કરાયો
રાધનપુર વકીલ મંડળે બનાવને સખ્ત શબ્દોમાં વખોડી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રાધનપુરના જૈન બોર્ડિંગ વિસ્તારમાં રહેતા વકીલ આશીફ ધાંચી અને તેમના પરિવાર પર જૂની અદાવત રાખી સાત શખ્સોtreatmentએ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટના તા.29 જાન્યુઆરી 2026ના રોજ બપોરે બની હતી, જ્યારે વકીલ આશીફભાઈ કોર્ટથી ઘરે જમવા જઈ રહ્યા હતા. જૈન બોર્ડિંગ પાસે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમની કાર નં.GJ-24-BV-5446 પર પથ્થર મારો કરી કાચ તોડી નાખ્યા હતા. આશીફભાઈએ 112 પર ફોન કરીને મદદ માંગી હતી.વકીલના પુત્ર અલીભાઈ અને ભાઈ અસલમભાઈ ઘટના સ્થળે પહોંચતા સાતેય આરોપીઓએ એક સંપ થઈ તેમને જાનથી મારી નાખવાના ઈરાદે પાઈપ, લાકડી અને છરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં આશીફભાઈ અને અસલમભાઈને હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી,જ્યારે અસલમભાઈને ગાલના ભાગે છરી વાગી હતી જેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 દ્રારા ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાધનપુર પોલીસ મથકે મયુદીન ધાંચી, અરસદ ધાંચી, ઈરફાન ધાંચી,વસીમ ધાંચી, રહીમ ધાંચી, રૂકશાના ધાંચી અને સલમા ધાંચી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલા પાછળ અગાઉ વકીલની ભત્રીજીએ કરેલી ફરિયાદનું મનદુઃખ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.તો વકીલ પરિવાર થયેલા હુમલાને રાધનપુર વકીલ મંડળે શખત શબ્દોમાં વખોડી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરી છે.

સંબંધિત સમાચાર