હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નિરમંડમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે, જેમાં બે બાળકો સામેલ છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૨૩ થઈ ગયો છે. ગ્રામ પંચાયતના સરપંચ ભોગારામે જણાવ્યુ કે, સોમવારે રાત્રે લગભગ ૧-૩૦ કલાકે ઘાટૂ પંચાયતના શરમાની ગામમાં વાદળ ફાટવાથી થયેલા ભૂસ્ખલનમાં બે ઘર સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયા. જેના કારણે એક જ પરિવારના પાંચ સભ્યો - બ્રેસ્ટી દેવી (૫૦), તેમનો પુત્ર ચુન્ની લાલ(૩૨), વહુ અંજુ (૨૫) અને પૌત્ર-પૌત્રી જાગૃતિ (૮) અને ભૂપેશ (૮) કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ગામના સરપંચે જિલ્લા વહીવટીતંત્રને આ ત્રાસદીની સૂચના આપી દીધી અને ગ્રામજનોએ સોમવારે રાતથી જ શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
હિમાચલમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયભયાનક અકસ્માત, ટ્રક અને ક્રુઝર વચ્ચે ટક્કરમાં 6 લોકોના મોત, 3 ઘાયલ
14 કલાક પહેલા
રાષ્ટ્રીયભારે વરસાદે તબાહી મચાવી, થોડીક જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત
15 કલાક પહેલા
રાષ્ટ્રીય'ખતરોં કે ખિલાડી 15' ની નવી લોન્ચ તારીખ જાહેર, રોહિત શેટ્ટીનો શો ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં પ્રસારિત થશે
15 કલાક પહેલા
રાષ્ટ્રીયઅમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મોટી કાર્યવાહી, હત્યા, ખંડણી અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર આરોપો પર ચાર્જશીટ દાખલ
15 કલાક પહેલા
