હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નિરમંડમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે, જેમાં બે બાળકો સામેલ છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૨૩ થઈ ગયો છે. ગ્રામ પંચાયતના સરપંચ ભોગારામે જણાવ્યુ કે, સોમવારે રાત્રે લગભગ ૧-૩૦ કલાકે ઘાટૂ પંચાયતના શરમાની ગામમાં વાદળ ફાટવાથી થયેલા ભૂસ્ખલનમાં બે ઘર સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયા. જેના કારણે એક જ પરિવારના પાંચ સભ્યો - બ્રેસ્ટી દેવી (૫૦), તેમનો પુત્ર ચુન્ની લાલ(૩૨), વહુ અંજુ (૨૫) અને પૌત્ર-પૌત્રી જાગૃતિ (૮) અને ભૂપેશ (૮) કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ગામના સરપંચે જિલ્લા વહીવટીતંત્રને આ ત્રાસદીની સૂચના આપી દીધી અને ગ્રામજનોએ સોમવારે રાતથી જ શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
હિમાચલમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમાફિયા અતીક અહેમદના મૃત્યુ બાદ જમીન કૌભાંડનો પર્દાફાશ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયદેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું 70 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બાનમાં લીધું: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયશિલ્પા શેટ્ટીએ વિવાદાસ્પદ જાતિ અનામત પોસ્ટ પર મૌન તોડ્યું, કહ્યું 'મારા નામે જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે'
1 દિવસ પહેલા
