કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન રમખાણોમાં માર્યા ગયેલા ચંદન ગુપ્તાની હત્યાના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. યુપીના કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન થયેલા રમખાણોમાં માર્યા ગયેલા ચંદન ગુપ્તાને લગભગ સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. NIA કોર્ટે તમામ 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે તમામ દોષિતોને દોષિત જાહેર કર્યા હતા અને શુક્રવારે સજાની જાહેરાત કરી હતી. 26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ યુવા વાહિનીના કાર્યકરો લગભગ 100 મોટરસાઇકલ પર ત્રિરંગો અને ભગવા ઝંડા લઈને નીકળ્યા હતા. આ તિરંગા યાત્રામાં એબીવીપીના કાર્યકર ચંદન ગુપ્તા પણ સામેલ થયા હતા. યાત્રા દરમિયાન કેટલાક મુસ્લિમ યુવાનો સાથે ઘર્ષણ થયું હતું. આ પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં ચંદન ગુપ્તાને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા બાદ કાસગંજમાં સ્થિતિ ઘણા દિવસો સુધી વણસી હતી. કાસગંજમાં લગભગ એક અઠવાડિયા સુધી રમખાણો થયા.
Justice After Seven Years: ચંદન ગુપ્તાની હત્યાના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમહિલા અનામત બિલ પર લોકસભામાં અમિત શાહનો જવાબ, કહ્યું- 'વિપક્ષ મહિલાઓના માર્ગમાં અવરોધ બની ગયો છે'
16 કલાક પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધીના કથિત બ્રિટિશ નાગરિકતા કેસ: હાઈકોર્ટે FIR અને તપાસનો આદેશ આપ્યો
18 કલાક પહેલા
રાષ્ટ્રીયસુરતના 'પ્રસાદ'માં ઝેરનો મામલો
19 કલાક પહેલા
રાષ્ટ્રીયદિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર દુ:ખદ અકસ્માત, ટેમ્પો ટ્રાવેલરે ત્રણ યુવાનોને કચડી નાખ્યા
19 કલાક પહેલા
