ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત ફરી શરૂ કરવાની તેની કોઈ યોજના નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ બુધવારે કહ્યું કે હાલ દેશનું સંપૂર્ણ ધ્યાન તેની સુરક્ષા અને સંરક્ષણ પર છે. તેમણે આ વાત એવા સમયે કહી જ્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી તણાવ સતત વધી રહ્યો છે. ઈરાનના રાજ્ય મીડિયા પ્રેસ ટીવી અનુસાર, ઈસ્માઈલ બગાઈએ કહ્યું કે ઈરાન હવે અમેરિકા સાથે થયેલા એમઓયુનું પાલન કરવા માટે પોતાને બંધાયેલ માનતું નથી, જેનો હેતુ આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ઈરાન માને છે કે કરારની શરૂઆતથી જ અમેરિકાએ તેની જવાબદારીઓ પૂર્ણ કરી નથી, તેથી ઈરાને તેની જવાબદારીઓ પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો છે.બઘાઈએ એમ પણ કહ્યું કે અમેરિકાના દબાણનો પ્રતિકાર કરવા માટે ઈરાનમાં વ્યાપક જાહેર સમર્થન છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ઈરાન પર લશ્કરી હુમલો કરવામાં આવશે, તો તેની સેના સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે.
ઈરાને અમેરિકા સાથે વાતચીતનો ઇનકાર કર્યો, કહ્યું 'હાલમાં ધ્યાન રાષ્ટ્રીય સંરક્ષણ પર છે'

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયરિટાયરમેન્ટ બાદ ફરી અર્જેટીનાની જર્સીમાં રમતા દેખાશે!
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયકાશી વિશ્વનાથ મંદિરના નવા CEO તરીકે સત્યમ મિશ્રાની નિમણૂક
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધીએ UPI ટેક્સ પાછો ખેંચવાની માંગ કરી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયઅમિતાભ બચ્ચન અયોધ્યામાં તેમના પિતાની સ્મૃતિને નવું સ્થાન આપશે, 15 કરોડ રૂપિયાની જમીન પર સ્મારક ધર્મશાળા બનાવશે
1 દિવસ પહેલા
