રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
રાષ્ટ્રીય20 નવેમ્બર, 2024| Super Admin

દિલ્હીમાં સ્થિતિ ખરાબ પ્રદૂષણને જોતા લેવાયો નિર્ણય 50 ટકા સરકારી કર્મચારીઓ ઘરેથી કામ કરશે

દિલ્હીમાં સ્થિતિ ખરાબ પ્રદૂષણને જોતા લેવાયો નિર્ણય 50 ટકા સરકારી કર્મચારીઓ ઘરેથી કામ કરશે
પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થિતિ ખરાબ છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ દિલ્હી સરકારના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે. તેના અમલીકરણ માટે આજે બપોરે 1 વાગ્યે સચિવાલયમાં અધિકારીઓ સાથે બેઠક યોજાશે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે શહેરની બગડતી હવાની ગુણવત્તાને પહોંચી વળવા માટે ઘરેથી કામ કરવાના પગલાં અને ઓડ-ઇવન સ્કીમ લાગુ કરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ગોપાલ રાયે કહ્યું હતું કે બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત લોકો શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને અમને આ સ્થિતિનો ખૂબ જ અફસોસ છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર પ્લસ શ્રેણીમાં રહી છે. દિલ્હીની ખાનગી અને સરકારી કંપનીઓમાં ઘરેથી કામ લાગુ કરવા અંગે મંત્રીએ કહ્યું હતું કે અમે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈશું. સરકારે Grape-IV હેઠળ વાહનો પર પહેલાથી જ ઘણા નિયંત્રણો લાદી દીધા છે. અમે આ પગલાંની અસરનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. આ પછી રાજધાનીમાં ઓડ-ઈવન ફોર્મ્યુલા પર વાહનો ચલાવવા અંગે નિર્ણય લેવામાં આવશે.

સંબંધિત સમાચાર