ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુર અને સાંતલપુર તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે ભારે વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. સાંતલપુરના નલીયા ગામમાં 5 અને રણમલપુરામાં એક વ્યક્તિનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. વિધાનસભા અધ્યક્ષે મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે દરેક પરિવારને સાંત્વના આપી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. અધ્યક્ષે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. પૂર પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટેના નિર્દેશો આપ્યા છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુર અને સાંતલપુર તાલુકાની મુલાકાત લીધી

ટેગ્સ:#Banaskantha District#Santalpur Taluka#Radhanpur Taluka#Gujarat Assembly Speaker#Heavy Rain Damage#Official Taluka Visit#Shankar Chaudhary#Flood Damage Inspection#Relief & Rescue Review#Administrative Instructions#Naliya Village Tragedy#Ranmalpura Drowning Incident#Gujarat Flood-Affected Areas
સંબંધિત સમાચાર
પાટણપોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો
3 કલાક પહેલા
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
3 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
