ઊંઝા તાલુકાના ભાંખર ગામે રબારી વાસના નાકે આવેલ બંધ મકાનમાંથી તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના વચ્ચેના રૂમમાં રાખેલ પતરાના ડબામાં મુકેલ તેમજ પતરાની પેટીમાં મુકેલ સોના ચાંદીના દાગીના કી રૂ 8.2 લાખની કોઈ અજાણ્યો ઇસમો ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મુંબઈ નયા નગર સીતાપાર્ક સોસાયટી ખાતે રહેતા સાબેરાબીબી સાકીર મિયાં સૈયદ રહે છે. જેઓનું ભાંખર ગામે રબારી વાસના નાકે મકાન આવેલું છે. જે બંધ રહે છે. આ મકાનમાં ગઇ તા.2 સપ્ટેમ્બર 2025 થી 8 ડિસેમ્બર 2025ના સમયગાળામાં કોઈપણ સમયે ઘરના વચ્ચેના રૂમમાં રાખેલ એક પતરાના ડબામાં સોનાના ઘરેણા કુલ સોનાના ઘરેણા જેનું કુલ વજન આશરે 3.5 તોલા જેની આશરે કુલ કી રૂ 3,50,000 તથા પતરાની પેટીમાં રાખેલ સોનાના તથા ચાંદીના દાગીના જેનું કુલ વજન આશરે 3 તોલા જેની આશરે કી રૂ 3,00,000 તથા ચાંદીના ઘરેણા જેનું આશરે 950 ગ્રામ વજન જેનું કુલ રૂ 1,52, 000મળી આશરે કુલ કી રૂ 8,02,000 ની મત્તાની કોઈ પણ ચોર ઇસમ કોઇ પણ રીતે ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે સાબેરામિયા નિવેદને આધારે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઊંઝા તાલુકાના ભાંખર ગામે બંધ મકાનમાંથી 8.2 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા દારૂકાંડમાં મોટું એક્શન: રાજ્ય પોલીસવડાએ તાલુકા PI અને જમાદારને સસ્પેન્ડ કર્યા
1 દિવસ પહેલા
મહેસાણાશિક્ષણના ધામમાં ઉત્સાહનો ઉમંગ : વિસનગરમાં સાંકલચંદ પટેલ યુનિવર્સિટીના ‘દશાબ્દિ મહોત્સવ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા APMCમાં અજમાની બમ્પર આવક: 2300 બોરીની આવક સાથે મણના ભાવ ₹2600 સુધી પહોંચ્યા
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં વિદેશ મોકલવાના નામે ₹83 લાખની છેતરપિંડી કરનાર એજન્ટને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી
1 દિવસ પહેલા
