પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થયેલી કરુણાંતિકામાં 30 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓએ લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મૃત પક્ષીઓની અંતિમયાત્રા યોજી હતી. શહેરમાં ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તાત્કાલિક મદદ માટે હેલ્પલાઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ છતાં, પતંગની દોરીથી ઘવાયેલા 30 પક્ષીઓના મોત થયા હતા. જીવદયા પ્રેમીઓએ આ મૃત પક્ષીઓની અંતિમયાત્રા રેલવે સ્ટેશનથી ત્રણ દરવાજા સુધી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા હતા. ત્યારબાદ સરસ્વતી નદી કિનારે પક્ષીઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પક્ષીઓ પ્રત્યે સંવેદના જગાડવાનો અને ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
પાટણ શહેરમાં મૃત પક્ષીઓની અંતિમયાત્રા : 30 જેટલા પક્ષીઓના મોત

સંબંધિત સમાચાર
પાટણપાટણ LCBની મેગા સ્ટ્રાઈક: રથયાત્રા પહેલા હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 શખ્સો પકડાયા
1 દિવસ પહેલા
પાટણકુંભાણામાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી
2 દિવસ પહેલા
પાટણચાણસ્માની ગર્લ્સ સ્કૂલની કોમ્પ્યુટર લેબમાં શોર્ટ સર્કિટથી આગ, ₹૭ લાખનું નુકસાન
2 દિવસ પહેલા
પાટણપાટણમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈ કલેક્ટરે સંકલનની બેઠક બોલાવી
3 દિવસ પહેલા
