આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત પાટણના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું તાવડિયા દ્વારા સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ડો.નીતિન.એમ.દેસાઈ, ડો.ભાવેશ.એલ.પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધા, ચામડીના તેમજ હાલમાં ચાલતા સિજનલ ફ્લૂના વિવિધ દર્દીઓને નિઃશુલ્ક તપાસ ,સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લીધો હતો તેમજ આરોગ્ય વિભાગની સેવાઓને બિરદાવી હતી.
સિદ્ધપુર ના કનેસરા ગામે નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

ટેગ્સ:#Siddhpur Taluka#Ayurveda#Homeopathy#Free Health Camp#Kanesara Village#Health and Family Welfare Department#AYUSH#Medical Services#Diabetes Treatment#Skin Conditions
સંબંધિત સમાચાર
પાટણપાટણ LCBની મેગા સ્ટ્રાઈક: રથયાત્રા પહેલા હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 શખ્સો પકડાયા
1 દિવસ પહેલા
પાટણકુંભાણામાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી
2 દિવસ પહેલા
પાટણચાણસ્માની ગર્લ્સ સ્કૂલની કોમ્પ્યુટર લેબમાં શોર્ટ સર્કિટથી આગ, ₹૭ લાખનું નુકસાન
2 દિવસ પહેલા
પાટણપાટણમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈ કલેક્ટરે સંકલનની બેઠક બોલાવી
3 દિવસ પહેલા
