આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત પાટણના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું તાવડિયા દ્વારા સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ડો.નીતિન.એમ.દેસાઈ, ડો.ભાવેશ.એલ.પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધા, ચામડીના તેમજ હાલમાં ચાલતા સિજનલ ફ્લૂના વિવિધ દર્દીઓને નિઃશુલ્ક તપાસ ,સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લીધો હતો તેમજ આરોગ્ય વિભાગની સેવાઓને બિરદાવી હતી.
સિદ્ધપુર ના કનેસરા ગામે નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

ટેગ્સ:#Siddhpur Taluka#Ayurveda#Homeopathy#Free Health Camp#Kanesara Village#Health and Family Welfare Department#AYUSH#Medical Services#Diabetes Treatment#Skin Conditions
સંબંધિત સમાચાર
પાટણકેરળના શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવા મામલે પાટણમાં વિરોધ દર્શાવ્યો
23 કલાક પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર મગફળીના ભૂંસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
23 કલાક પહેલા
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
4 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
5 દિવસ પહેલા
