રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા23 એપ્રિલ, 2025| Super Admin

કડી છત્રાલ હાઈવે પર કચરાના ઢગલામાં લાગી આગ ભારે જહેમત બાદ આગ પર કાબુ જાનહાની ટળી

કડી છત્રાલ હાઈવે પર કચરાના ઢગલામાં લાગી આગ ભારે જહેમત બાદ આગ પર કાબુ જાનહાની ટળી
અફરાતફરી વચ્ચે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા; મહેસાણા જિલ્લાના કડી છત્રાલ હાઈવે પર પાંજરાપોળ નજીક આવેલી એક હોટલની પાસે સોમવારના રોજ સમી સાંજે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જ્યાં રસ્તાની એક તરફ કચરાના ઢગલા નીચે આવેલી સાબરમતી ગેસની હેવી પાઈપલાઈનમાં એકાએક લીકેજ થતાં અચાનક જ આગ સળગી ઉઠતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જ્યાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો. આગ લાગવાની ઘટનાને જોઈ નજીકમાં રહેલા સ્થાનિકોએ તાત્કાલિક કડી નગરપાલિકાના ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ મહા મુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો. પાંજરાપોળ નજીક બનેલી આગની ઘટનાને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ જવા પામ્યો હતો જ્યાં કડી પોલીસે તાત્કાલિકઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાવી રસ્તો ચાલુ કરાવ્યો હતો. ગેસ પાઈપ લાઈનમાં ભંગાણ થઈ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણી સાબરમતી ગેસ કંપનીના અધિકારીઓ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી લીકેજ થયેલી ગેસ પાઈપનું સમારકામ શરૂ કરતા નજીકના વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ લાગેલી આગમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થયેલ નથી તેમજ સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.  

સંબંધિત સમાચાર