રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય22 સપ્ટેમ્બર, 2025| Super Admin

ખેડૂતો ઓર્ગેનીક ખેતી અપનાવી દેશના લોકોનું આરોગ્‍ય સુધારવામાં ઉપયોગી બને : અમિતભાઈ શાહ

ખેડૂતો ઓર્ગેનીક ખેતી અપનાવી દેશના લોકોનું આરોગ્‍ય સુધારવામાં ઉપયોગી બને : અમિતભાઈ શાહ
નરેન્‍દ્રભાઈની સરકારે જીએસટી ઘટાડી દિવાળીની ભેટ આપી, રાજકોટનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણરૂપ સહકાર સંમેલનમાં કેન્‍દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવેલ કે ૨૦૨૧માં સહકારથી સમૃદ્ધિની શરૂઆત અમરેલીથી થયેલ. રાજકોટ જીલ્લામાં સહકારી માળખુ સુદૃઢ થયુ છે. જયેશ રાદડીયાએ સહકારી માળખાને સુદૃઢ બનાવ્‍યુ છે. અગાઉની સરકારમાં આવળુ મોટુ મંત્રાલય કૃષિ વિભાગના સંયુકત સચિવ ચલાવતા હતા. ૨૦૨૧માં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ અલગ સહકારી ખાતુ બનાવ્‍યુ તે માટે તેમને ધન્‍યવાદ આપીએ છીએ. અમિતભાઈએ જણાવેલ કે આ ભૂમિ પરના બે ખેડૂતપુત્રો વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાનું આજે અનાવરણ થયુ હતું. વલ્લભભાઈએ બેંકની સ્‍થાપના કરેલ અને બેંકના ખેડૂતો માટે લડાઈ લડયા હતા. વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી બેંકની સેવા કરેલ. આ બંને મહાનુભાવોના રસ્‍તે ચાલી યુવા નેતા જયેશ રાદડીયાએ જીલ્લા સહકારી બેંકને મજબૂત કરવાનું કામ કર્યુ છે. તેમણે સામાન્‍ય ખેડૂતોના હિતમાં કામ કરવાની વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈની પરંપરા જાળવી છે. આ બેંકને અનેક એવોર્ડ મળ્‍યા છે. નરેન્‍દ્રભાઈના સહકારી આણંદમાં ત્રિભુવનદાસ પટેલ સહકારી યુનિવર્સિટી સ્‍થાપવાનું કામ થયુ છે. દેશનું સહકારી માળખુ ચાર દશકથી નીચે હતુ તે છેલ્લા ત્રણ વર્ષમાં મજબૂત થયુ છે. ગુજરાતે સહકારી ક્ષેત્રમાં પહેલ કરી છે દરેક સહકારી સંસ્‍થા રાજય રાજય અને બેંક મારફત કામ કરે છે. આ પ્રયોગ દેશવ્‍યાપી બન્‍યો છે. ખેડૂતો રાસાયણીક ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનીક ખેતી અપનાવે અને દેશના લોકોના સ્‍વાસ્‍થ્‍ય સુધારવાનું કામ કરે તેવી મારી અપીલ છે. જૈવિક ખેતીમાં મોટા નફાની વ્‍યવસ્‍થા સરકાર કરશે. ખાતરનો ઉપયોગ ઘટાડી જૈવિક ખેતી તરફ વળીએ. નરેન્‍દ્રભાઈએ આજે પહેલા નોરતાથી ખેડૂતોના ઉપયોગમાં આવતી અનેક વસ્‍તુઓ પર જીએસટી ઘટાડીને નોરતા અને દિવાળીનો લાભ આપ્‍યો છે. રાજકોટનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ છે.

સંબંધિત સમાચાર