રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય6 ડિસેમ્બર, 2024| Super Admin

ખેડૂતોનું આંદોલન : રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું અન્નદાતા ખુશ રહેશે તો દેશ ખુશ રહેશે

ખેડૂતોનું આંદોલન : રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું અન્નદાતા ખુશ રહેશે તો દેશ ખુશ રહેશે

પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડર પર ખેડૂતોની દિલ્હી તરફની કૂચ અટકાવી દેવામાં આવી છે. ખેડૂતોના સમૂહે દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી. જો કે, થોડા મીટર પછી તેઓને અટકાવવામાં આવ્યા હતા. હરિયાણા પોલીસે આ ખેડૂતોને આગળ ન વધવા કહ્યું છે. અંબાલા જિલ્લા પ્રશાસને એક જગ્યાએ 5 કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન હરિયાણાની સરહદ પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ મુદ્દે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે નિવેદન આપ્યું છે.

https://twitter.com/RahulGandhi/status/1865000535494934716

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું, 'ખેડૂતો દિલ્હી આવીને સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરવા અને પોતાનું દર્દ વ્યક્ત કરવા માંગે છે. તેમના પર ટીયર ગેસના શેલ છોડવા અને તેમને વિવિધ રીતે રોકવાનો પ્રયાસ નિંદનીય છે. સરકારે તેમની માંગણીઓ અને સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ. અન્ન પ્રદાતાઓની દુર્દશાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે દેશમાં દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર છે. મોદી સરકારની અતિસંવેદનશીલતાને કારણે પ્રથમ ખેડૂત આંદોલનમાં 700થી વધુ ખેડૂતોની શહાદતને દેશ ભૂલી શક્યો નથી.

સંબંધિત સમાચાર