વારાહી નજીક માનપુરા ગામના પાટિયા નજીક અર્ટિગા કાર આગ લાગી; ત્રણ લોકોનો આબાદ બચાવ

કારમાં બેઠેલા ત્રણેય શખ્સો સિફતપૂર્વક બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો; પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારાહી નજીક માનપુરા ગામના પાટિયા પાસે એક અર્ટિગા કાર આગની લપેટમાં આવી જતાં અફડાતફડી મચી જવા પામી હતી. ભુજથી આવી રહેલી આ અર્ટિગા ગાડી નં MP-09 WJ 0279 હાઇવે પર દોડી રહી હતી ત્યારે તેના એન્જિન માંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.થોડી જ વારમાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં સવાર ત્રણેય મુસાફરો સમયસૂચકતા વાપરીને તરત જ ગાડી માથી બહાર નીકળી જતાં તેઓનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે અર્ટિગા કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને પણ તરત જ જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળ ની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Patan district#Road Safety#Rescue Operation#Fire Emergency#Manpura Village#Accident Response#Vehicle Fire Incident#Ertiga Car Fire#Varahi News
સંબંધિત સમાચાર
પાટણપાટણ કલેક્ટરનો નિર્ણય NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ લદાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
3 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
3 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
4 દિવસ પહેલા
