વારાહી નજીક માનપુરા ગામના પાટિયા નજીક અર્ટિગા કાર આગ લાગી; ત્રણ લોકોનો આબાદ બચાવ

કારમાં બેઠેલા ત્રણેય શખ્સો સિફતપૂર્વક બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો; પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારાહી નજીક માનપુરા ગામના પાટિયા પાસે એક અર્ટિગા કાર આગની લપેટમાં આવી જતાં અફડાતફડી મચી જવા પામી હતી. ભુજથી આવી રહેલી આ અર્ટિગા ગાડી નં MP-09 WJ 0279 હાઇવે પર દોડી રહી હતી ત્યારે તેના એન્જિન માંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.થોડી જ વારમાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં સવાર ત્રણેય મુસાફરો સમયસૂચકતા વાપરીને તરત જ ગાડી માથી બહાર નીકળી જતાં તેઓનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે અર્ટિગા કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને પણ તરત જ જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળ ની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Patan district#Road Safety#Rescue Operation#Fire Emergency#Manpura Village#Accident Response#Vehicle Fire Incident#Ertiga Car Fire#Varahi News
સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
2 દિવસ પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
2 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
2 દિવસ પહેલા
