રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાજકારણ8 જૂન, 2026| Super Admin

શું મમતા બેનર્જીએ ખરેખર યુસુફ પઠાણને રાજીનામું આપવા કહ્યું હતું? જાણો શું કહ્યું....

શું મમતા બેનર્જીએ ખરેખર યુસુફ પઠાણને રાજીનામું આપવા કહ્યું હતું? જાણો શું કહ્યું....

ટીએમસી સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે એવા દાવાઓને ફગાવી દીધા છે કે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને રાજીનામું આપવા કહ્યું હતું. પઠાણે સ્પષ્ટતા કરી કે તેમણે બહેરામપુર લોકસભા બેઠક પરથી રાજીનામું આપવા અંગે મમતા બેનર્જી સાથે વાત કરી નથી. સોશિયલ મીડિયા પર ફરતા સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે. યુસુફ પઠાણે કહ્યું, કે "એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે મમતા બેનર્જીએ મને બરહમપુર લોકસભા બેઠક પરથી રાજીનામું આપવા કહ્યું જેથી હું ત્યાંથી ચૂંટણી લડી શકું. પરંતુ મમતા બેનર્જીએ મને ક્યારેય આ વાત કહી નથી. આ દાવો ખોટો છે.

નોંધનીય છે કે મમતા બેનર્જી હાલમાં રાજ્ય કે કેન્દ્ર સરકારના સભ્ય નથી. 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર એક દાવો ફરતો થઈ રહ્યો છે કે મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલી દ્વારા યુસુફ પઠાણને સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમને બહેરામપુરથી રાજીનામું આપવા વિનંતી કરવામાં આવી હતી જેથી મમતા ચૂંટણી લડી શકે અને સંસદમાં પ્રવેશ કરી શકે. જોકે, યુસુફે આ દાવાને નકારી કાઢ્યો છે. જોકે, યુસુફ અને સૌરવ ગાંગુલી બંનેએ પોતે આ દાવાને ફગાવી દીધો છે.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ આજે એક પત્રમાં સ્પષ્ટતા કરી હતી કે મમતા બેનર્જીએ ક્યારેય તેમને યુસુફ પઠાણને તેમના વતી કોઈ સંદેશ પહોંચાડવા કહ્યું નથી, પછી ભલે તે તેમના રાજીનામા સાથે સંબંધિત હોય કે ન હોય, જેમ કે આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મેં ક્યારેય યુસુફ પઠાણનો આવી કોઈ વિનંતી કે સંદેશ સાથે સંપર્ક કર્યો નથી. હું તમને વિનંતી કરું છું કે હકીકતો જાણ્યા વિના અફવાઓ અને અટકળો પર વિશ્વાસ ન કરો, તેવું તેમણે કહ્યું હતું.

સંબંધિત સમાચાર