પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર થયેલા જીવલેણ હુમલાનો વીડિયો સામે આવ્યો છે. સુખબીર બાદલ પર અમૃતસરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો પરંતુ તે આ હુમલામાંથી બચી ગયો હતો. એક વ્યક્તિ રિવોલ્વર કાઢીને સુખબીર સિંહ બાદલ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, ત્યાં ઊભેલી વ્યક્તિ તેને રોકે છે. આ હુમલો ત્યારે થયો જ્યારે સુખબીર સિંહ બાદલ સહિત શિરોમણી અકાલી દળના નેતાઓ 2 ડિસેમ્બરે શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા તેમના માટે જાહેર કરાયેલ ધાર્મિક તપના ભાગરૂપે 'સેવા' કરી રહ્યા હતા. વૃદ્ધ હુમલાખોરે ગોળીબાર કરતાની સાથે જ સ્થળ પર હાજર લોકોએ તેને પકડી લીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. આરોપીનું નામ નારાયણ સિંહ હોવાનું કહેવાય છે અને તે કટ્ટરવાદી વિચારધારાનો છે.






