ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી તમિલનાડુમાં ભૂસ્ખલન 7 લોકો કાટમાળ નીચે દટાયા

તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં મોડી સાંજે ભૂસ્ખલન થયું હતું. જેમાં નીચલા વિસ્તારોમાં ઈમારત ધરાશાયી થઈ હતી. આ ભૂસ્ખલનમાં બાળકો સહિત બે પરિવારના સાત લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ચક્રવાત ફેંગલની અસરને કારણે જિલ્લામાં ભારે વરસાદથી આ ભૂસ્ખલન થયું
જિલ્લા કલેક્ટર જણાવ્યું હતું કે ઘરની અંદર ફસાયેલા લોકોમાં પાંચ બાળકો હતા. તેનો કોઈ પત્તો મળ્યો નથી. આ ઘટના ગઈકાલે સાંજે બની હતી જ્યારે તિરુવન્નામલાઈમાં અન્નામલાઈર પહાડીઓની તળેટીમાં સ્થિત VOC નગરમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં કેટલાય મકાનોને નુકસાન થયું હતું.
આ વિસ્તારમાં ઘરો પર એક વિશાળ ખડક હોવાથી, જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરવા માટે NDRF અને SDRF ટીમોની મદદ માંગી છે. કલેક્ટરના જણાવ્યા મુજબ જો રેસ્ક્યુ ઓપરેશન યોગ્ય રીતે હાથ ધરવામાં નહીં આવે તો ખડકો પડવાનો ભય છે. ઘટના સ્થળની નજીકના અન્ય કેટલાંક મકાનોને પણ નુકસાન થયું છે.
ચક્રવાત ફેંગલના કારણે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો
ચક્રવાત ફેંગલના કારણે પુડુચેરીમાં શનિવાર અને રવિવારે થયેલા વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શનિવારે પુડુચેરી પહોંચેલું ચક્રવાત 'ફંગલ' રવિવારે નબળું પડ્યું હતું. જો કે, તેની અસરને કારણે, કેન્દ્રશાસિત પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું અને સેનાને પૂરના રસ્તાઓ પર ફસાયેલા લોકોને બચાવવા માટે આગળ વધવું પડ્યું હતું.
શરૂઆતમાં ઘણી ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી
પડોશી તમિલનાડુના વિલ્લુપુરમમાં પણ વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન થયું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને જિલ્લામાં વરસાદને 'અભૂતપૂર્વ' ગણાવ્યો હતો. ચેન્નાઈ એરપોર્ટ પર કામગીરી મધ્યરાત્રિ પછી ફરી શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતમાં ઘણી ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી અને ઘણા વિમાનો વિલંબિત થયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, દિવસ પછી કામગીરી સામાન્ય થઈ ગઈ. ચક્રવાતને જોતા શનિવારે ચેન્નાઈ એરપોર્ટ પર સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયબિહારથી મોટા સમાચાર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો કેસમાં ખાન સરને રાહત, આગોતરા જામીન મળ્યા
8 કલાક પહેલા
રાષ્ટ્રીયલખનૌ-કાનપુર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, 3 કલાકની મુસાફરી માત્ર 45 મિનિટમાં પૂર્ણ થશે
9 કલાક પહેલા
રાષ્ટ્રીયચોકીદાર દ્વારા શૌચાલયમાં 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો; લોકોમાં રોષ ફાટી નીકળ્યો
9 કલાક પહેલા
રાષ્ટ્રીયરામ મંદિરમાં નીકળી CEO ની નોકરી, 50 થી 70 વય મર્યાદાના લોકો કરી શકે અરજી
11 કલાક પહેલા
