રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા13 જાન્યુઆરી, 2025| Super Admin

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર
આશરે 100 થી 150 વીઘા જમીનમાં મરચાની ખેતી : ઊંઝા તાલુકાના જગન્નાથ પુરા ગામના ખેડૂતો છેલ્લાં 25 વર્ષથી મરચાની ખેતી કરી રહ્યા છે. અંદાજીત 150 વીઘા જમીનમાં મરચાનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીંના મરચા સિદ્ધપુર વિસનગર પાટણ સહિતના શાકભાજીના માર્કેટમાં ઠલવાય છે. જગન્નાથ પુરા ગામ મરચાની ખેતી માટે પંથકમાં જાણીતું બન્યું છે. ઊંઝા તાલુકાના જગન્નાથ પુરા ગામના ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર કરવામાં મોખરે છે. તેઓએ અંદાજીત 100 થી 150 વીઘા જમીનમાં મરચાની ખેતી કરી મબલક આવક મેળવી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી ખેડૂતો મરચાની ખેતી સાથે સંકળાયેલા જોવા મળી રહ્યા છે. એક વિઘામાં મરચાનું ઉત્પાદન સરેરાશ 350 થી 400 મણ થાય છે. જૉકે ઉતારો ઓછો હોય કે કોઈ રોગ છોડમાં જોવા મળે તો એક વીઘા દરમિયાન 300 મણ ઉતારો જોવા મળે છે. હાલમાં મરચાંના મણે ભાવ રૂ 700 થી 800 સુધીનાં જોવા મળ્યા છે. મરચાની ખેતી કરતા ખેડૂતોને મોટાભાગે કોકડવા નામના રોગ અને વાયરસની મોટી ચિંતા છતાવે છે. હાલ જગન્નાથ પુરા ગામના મોટાભાગના ખેડૂતો મરચાની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર