રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ23 ડિસેમ્બર, 2025| Super Admin

પાટણમાં મનરેગા મુદ્દે કોંગ્રેસ દ્વારા ચકકાજામ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો

પાટણમાં મનરેગા મુદ્દે કોંગ્રેસ દ્વારા ચકકાજામ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો

હાય રે ભાજપ હાય'ના નારા સાથે રેલવે ગરનાળા પાસે ચક્કાજામ કરાતા પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી. પાટણમાં મનરેગા યોજનાને નબળી પાડવાના આક્ષેપ સાથે મંગળવારે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે ચકકાજામ કરી ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવતા રેલવે ગરનાળા પાસે ચક્કાજામ કરાયા બાદ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ હેઠળ પાટણ જિલ્લા કોંગ્રેસે આ વિરોધ કાર્યક્રમ રેલવે ગરનાળા ખાતે યોજ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ને નબળી પાડવામાં આવી રહી હોવાના આરોપો સાથે આ પ્રદર્શન કરાયું હતું. કોગ્રેસના પ્રદર્શનકારીઓએ સૌપ્રથમ મહાત્માગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર બેસીને 'હાય રે ભાજપ હાય હાય' ના નારા લગાવી વાતાવરણ ગજવ્યું હતું. પાટણ ખાતે આયોજિત આ કાર્યક્રમ ને લઇ ફરજ પરની પોલીસે કોગ્રેસના પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારનું તાજેતરનું 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' બિલ મનરેગા યોજનાનું અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ છે. વિપક્ષ આ નવા બિલને મનરેગાને નબળી પાડવાના અને શ્રમિકોના અધિકારો છીનવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યું છે. કોંગ્રેસે મનરેગા અને શ્રમિક અધિકારોના મુદ્દે સરકાર સામે આગામી સમયમાં પણ વિરોધ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.    

સંબંધિત સમાચાર