રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત1 જાન્યુઆરી, 2026| Super Admin

CM ભૂપેન્દ્ર પટેલની ગ્રામ્ય વિકાસને મોટી ભેટ! – Gujarati GNS News


34 જિલ્લા પંચાયત પ્રમુખોને મળશે 1 કરોડની ગ્રાન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવો વેગ મળશે

(જી.એન.એસ),તા.૦૧

ગાંધીનગર

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યની તમામ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે વાર્ષિક રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલ રાજ્યમાં ધારાસભ્યોને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિકાસ કામો માટે રૂ. 2.5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વધુ વેગ મળે અને સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપી શકાય તે હેતુથી જિલ્લા પંચાયત પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પંચાયત પ્રમુખોની રજૂઆતોને સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતાં સામાન્ય વહીવટ વિભાગને આ નિર્ણય અમલમાં મૂકવા દિશાનિર્દેશો આપ્યા છે. આ નિર્ણયથી ગામડાઓમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને વિકાસ કામોને નવી ગતિ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.



Source link

સંબંધિત સમાચાર