- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /નહિ સુધરે ચીન : કોરોના બાદ નવો વાયરસ તૈયાર કર્યો
આંતરરાષ્ટ્રીય4 જૂન, 2025
નહિ સુધરે ચીન : કોરોના બાદ નવો વાયરસ તૈયાર કર્યો

અમેરિકાએ કર્યો ચીનના ઘાતક પ્લાનનો પર્દાફાશ : ભયાનક ઇરાદા : ફુસારિયમ ગ્રામિનેરિયમ નામની આ ફૂગ ઘઉં, જવ, મકાઈ અને ચોખામાં ઘાતક રોગ પેદા કરે છે, તે મોટી સંખ્યામાં પાકનો નાશ કરી શકે છે અને જો તે ખોરાક દ્વારા માણસના પેટમાં પહોંચે છે, તો લોકો પહેલા ઉલટી અને ઝાડાની ફરિયાદ કરે છે, પછી તે લીવરને ગંભીર નુકસાન પહોંચાડીને વ્યક્તિનું મળત્યુ પણ કરી શકે છેચીન વિશ્વ બજારમાં રાજ કરવા માંગે છે દરરોજ તેના પર અન્ય દેશોની સરહદોમાં પ્રવેશ કરવાનો, તેની સરહદની બહાર નવા બાંધકામો કરવાનોઅને અન્ય દેશોને આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હવે અમેરિકાએ ડ્રેગનનું નવું રહસ્ય ખોલ્યું છે. યુએસ ગુપ્તચર એજન્સી FBIએ બે ચીની નાગરિકોની ધરપકડ કરી છે. જે એક પ્રકારની ફંગસ (રોગ) સાથે અમેરિકામાં પ્રવેશ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો હેતુ અમેરિકાને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાનો હતો.
બંને ચીની નાગરિકોની ઓળખ યુનકિંગ જિયાન (૩૩) અને ઝુન્યોંગ લિયુ (૩૪) તરીકે થઈ છે. યુએસ તપાસ એજન્સીઓએ બંને પર આ ફૂગની દાણચોરીનો આરોપ લગાવ્યો છે. FBI અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એક ખતરનાક ફૂગ છે, જેને ‘ખતરનાક જૈવિક રોગકારક'ની શ્રેણીમાં મૂકવામાં આવી છે. આ વાયરસનું નામ ફયુઝેરિયમ ગ્રામિનેરમ છે.ફયુઝેરિયમ ગ્રામિનેરમ કેટલી ખતરનાક છે? : યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફયુઝેરિયમ ગ્રામિનેરમ નામની આ ફૂગ ઘઉં, જવ, મકાઈ અને ચોખામાં જીવલેણ રોગ પેદા કરી શકે છે. તે મોટી સંખ્યામાં પાકનો નાશ કરી શકે છે અને જો તે લોકોના પેટમાં પહોંચે છે, તો તે ઉલટી, ઝાડા અને લીવરને ગંભીર નુકસાન પહોંચાડીને વ્યક્તિનું મળત્યુ પણ કરી શકે છે. યુએસ તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, યુનકિંગ અને ઝુન્યોંગ પર કાવતરું, દાણચોરી અને વિઝા છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બંને શરૂઆતની પૂછપરછમાં સહયોગ કરી રહ્યા નથી અને વારંવાર ખોટું બોલી રહ્યા છે અને પોતાના નિવેદનો બદલી રહ્યા છે.
માહિતી અનુસાર, ઝુન્યોંગ લિયુની ગર્લફ્રેન્ડ અમેરિકામાં મિશિગન યુનિવર્સિટીની પ્રયોગશાળામાં કામ કરે છે. લિયુ ડેટ્રોઇટ એરપોર્ટથી અમેરિકામાં પ્રવેશ્યો અને તેની યોજના તેની ગર્લફ્રેન્ડની મદદથી લેબમાં ફૂગ પર કામ કરવાની હતી. વૈજ્ઞાનિકોના મતે, ફયુઝેરિયમ ગ્રામીનેરમ એક ઘાતક વાયરસ છે, તે અનાજમાં ફેલાય છે અને માનવ શરીરમાં પ્રવેશ કરે છે અને પછી લાંબા ગાળાની બીમારીનું કારણ બની શકે છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી ડોકટરો તેનાથી પીડિત વ્યક્તિના રોગ અથવા આ વાયરસને શોધી કાઢે છે, ત્યાં સુધીમાં તે પીડિત માટે ઘાતક સાબિત થઈ શકે છે.
ટેગ્સ:#Food Safety#international smuggling#Biological Threats#Fusarium Graminearum#China-U.S. Relations#Agricultural Diseases#Economic Espionage#Pathogens#Intelligence and Security#Crop Destruction#Public Health Risks#Laboratory Research#Conspiracy Charges#Virus Development
સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીય
ઈરાનના વિદેશ મંત્રીએ મીનાબ સ્કૂલ પરના હુમલાની નિંદા કરી, તેને ‘માનવતા વિરુદ્ધ ગુનો’ ગણાવ્યો
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીય
ઇઝરાયલે ઇરાનમાં અનેક સ્થળોએ મુખ્ય માળખાગત સુવિધાઓ પર હુમલા કર્યા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીય
૩૫ વર્ષીય બાલેન્દ્ર શાહે નેપાળના સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીય
લેહ-લદ્દાખમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ – Gujarati GNS News
1 દિવસ પહેલા
