ખેરાલુ શહેરમાં શિયાળાની ઠંડી અને લગ્નસરાની મોસમનો લાભ ઉઠાવી સક્રિય બનેલા તસ્કરો એક જ રાતમાં બાઈક અને મંદિરની દાનપેટીમાંથી રોકડ ચોરી ગયા હતા.પ્રથમ બનાવ લીંબચ માતાના મંદિર પાસે બન્યો હતો. શહેરના અખબાર વિતરક અશોકભાઈ મોદીનો પુત્ર એક મિત્રના લગ્ન પ્રસંગે યોજાયેલા રાસ-ગરબામાં હાજરી આપવા લીંબચ માતાની વાડીએ ગયો હતો. ત્યારે તેણે બહાર પાર્ક કરેલ બાઈક તસ્કરો ચોરી ગયા હતા. બીજી તરફ, તસ્કરોએ બહુચરાજી માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું. મધરાત બાદ મંદિરમાં ત્રાટકેલા ચોરોએ મંદિર તેમજ બાજુમાં આવેલા શિવાલયની દાનપેટીના તાળાં તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.પૂજારી પપ્પુભાઈ દવેએ પોલીસને જાણ કરતાં જણાવ્યું કે, અંદાજે 15 થી 20 હજારની રોકડ ચોરાઈ છે. જોકે, અન્ય કોઈ સામાનની ચોરી થઈ નથી. પોલીસે પુજારીના નિવેદન આધારે તપાસ હાથ ધરી છે.
ખેરાલુમાં બહુચરાજી માતાજીના મંદિરની દાનપેટીની રોકડ ચોરાઇ

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા: ONGCનું વળતર મેળવવા કૌભાંડ રચનારને મોટો ઝટકો, કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા-ઊંઝા હાઈવે પર રક્તરંજિત અકસ્માત: લક્ઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રકમાં ઘૂસી
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા કોર્ટના આદેશનું ઉલ્લંઘન ભારે પડ્યું, ધરોઈ સિંચાઈ વિભાગની કચેરીનો સામાન સીલ
1 દિવસ પહેલા
મહેસાણાવડનગરના શાહપુરમાં ખનીજ માફિયાઓ પર તરાપ, ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
