ખેરાલુ શહેરમાં શિયાળાની ઠંડી અને લગ્નસરાની મોસમનો લાભ ઉઠાવી સક્રિય બનેલા તસ્કરો એક જ રાતમાં બાઈક અને મંદિરની દાનપેટીમાંથી રોકડ ચોરી ગયા હતા.પ્રથમ બનાવ લીંબચ માતાના મંદિર પાસે બન્યો હતો. શહેરના અખબાર વિતરક અશોકભાઈ મોદીનો પુત્ર એક મિત્રના લગ્ન પ્રસંગે યોજાયેલા રાસ-ગરબામાં હાજરી આપવા લીંબચ માતાની વાડીએ ગયો હતો. ત્યારે તેણે બહાર પાર્ક કરેલ બાઈક તસ્કરો ચોરી ગયા હતા. બીજી તરફ, તસ્કરોએ બહુચરાજી માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું. મધરાત બાદ મંદિરમાં ત્રાટકેલા ચોરોએ મંદિર તેમજ બાજુમાં આવેલા શિવાલયની દાનપેટીના તાળાં તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.પૂજારી પપ્પુભાઈ દવેએ પોલીસને જાણ કરતાં જણાવ્યું કે, અંદાજે 15 થી 20 હજારની રોકડ ચોરાઈ છે. જોકે, અન્ય કોઈ સામાનની ચોરી થઈ નથી. પોલીસે પુજારીના નિવેદન આધારે તપાસ હાથ ધરી છે.
ખેરાલુમાં બહુચરાજી માતાજીના મંદિરની દાનપેટીની રોકડ ચોરાઇ

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા પોલીસ એક્શન મોડમાં: ગુનેગારોને ભીંસમાં લેવા DySP સહિતનો કાફલો રસ્તા પર ઉતર્યો
2 દિવસ પહેલા
મહેસાણાવિસનગરમાં જઘન્ય અપરાધ: બ્લેકમેલ કરી બે બહેનો પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના સતલાસણા-ખેરાલુ માર્ગ પર ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ: બેફામ દોડતા વાહનો સામે વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: ચોરીના બે બનાવોમાં ૯ આરોપીઓ ઝડપાયા
3 દિવસ પહેલા
