ખેરાલુ શહેરમાં શિયાળાની ઠંડી અને લગ્નસરાની મોસમનો લાભ ઉઠાવી સક્રિય બનેલા તસ્કરો એક જ રાતમાં બાઈક અને મંદિરની દાનપેટીમાંથી રોકડ ચોરી ગયા હતા.પ્રથમ બનાવ લીંબચ માતાના મંદિર પાસે બન્યો હતો. શહેરના અખબાર વિતરક અશોકભાઈ મોદીનો પુત્ર એક મિત્રના લગ્ન પ્રસંગે યોજાયેલા રાસ-ગરબામાં હાજરી આપવા લીંબચ માતાની વાડીએ ગયો હતો. ત્યારે તેણે બહાર પાર્ક કરેલ બાઈક તસ્કરો ચોરી ગયા હતા. બીજી તરફ, તસ્કરોએ બહુચરાજી માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું. મધરાત બાદ મંદિરમાં ત્રાટકેલા ચોરોએ મંદિર તેમજ બાજુમાં આવેલા શિવાલયની દાનપેટીના તાળાં તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.પૂજારી પપ્પુભાઈ દવેએ પોલીસને જાણ કરતાં જણાવ્યું કે, અંદાજે 15 થી 20 હજારની રોકડ ચોરાઈ છે. જોકે, અન્ય કોઈ સામાનની ચોરી થઈ નથી. પોલીસે પુજારીના નિવેદન આધારે તપાસ હાથ ધરી છે.
ખેરાલુમાં બહુચરાજી માતાજીના મંદિરની દાનપેટીની રોકડ ચોરાઇ

સંબંધિત સમાચાર
મહેસાણાકડી માટે ઐતિહાસિક નિર્ણય: નવી સેશન્સ કોર્ટને મંજૂરી મળતાં સ્થાનિકો અને વકીલોમાં હર્ષની લાગણી
12 કલાક પહેલા
મહેસાણાકડીમાં કરોડોની લાલચ ભારે પડી: ઓપ્શન ટ્રેડિંગના નામે વેપારી સાથે ₹17 લાખની ઠગાઈ
12 કલાક પહેલા
મહેસાણાવડનગરમાં SMCની લાલ આંખ: સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, PSI સસ્પેન્ડ અને બે કર્મીઓની હેડ ક્વાર્ટર બદલી
12 કલાક પહેલા
મહેસાણામહેસાણાના ભાણાવાસમાં ડેરી સંચાલકોની આપખુદશાહી સામે પશુપાલકોનો રોષ
12 કલાક પહેલા
