રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા6 ડિસેમ્બર, 2025| Super Admin

ખેરાલુમાં બહુચરાજી માતાજીના મંદિરની દાનપેટીની રોકડ ચોરાઇ

ખેરાલુમાં બહુચરાજી માતાજીના મંદિરની દાનપેટીની રોકડ ચોરાઇ

ખેરાલુ શહેરમાં શિયાળાની ઠંડી અને લગ્નસરાની મોસમનો લાભ ઉઠાવી સક્રિય બનેલા તસ્કરો એક જ રાતમાં બાઈક અને મંદિરની દાનપેટીમાંથી રોકડ ચોરી ગયા હતા.પ્રથમ બનાવ લીંબચ માતાના મંદિર પાસે બન્યો હતો. શહેરના અખબાર વિતરક અશોકભાઈ મોદીનો પુત્ર એક મિત્રના લગ્ન પ્રસંગે યોજાયેલા રાસ-ગરબામાં હાજરી આપવા લીંબચ માતાની વાડીએ ગયો હતો. ત્યારે તેણે બહાર પાર્ક કરેલ બાઈક તસ્કરો ચોરી ગયા હતા. બીજી તરફ, તસ્કરોએ બહુચરાજી માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું. મધરાત બાદ મંદિરમાં ત્રાટકેલા ચોરોએ મંદિર તેમજ બાજુમાં આવેલા શિવાલયની દાનપેટીના તાળાં તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.પૂજારી પપ્પુભાઈ દવેએ પોલીસને જાણ કરતાં જણાવ્યું કે, અંદાજે 15 થી 20 હજારની રોકડ ચોરાઈ છે. જોકે, અન્ય કોઈ સામાનની ચોરી થઈ નથી. પોલીસે પુજારીના નિવેદન આધારે તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર