સિદ્ધપુર ખાતે રૂ.૪.૧૪ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાજપૂત

નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોથી વિસ્તારની પ્રગતિ થશે; કેબિનેટ મંત્રી
શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સિદ્ધપુર ખાતે શનિવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રૂ.૪.૧૪ કરોડના વિકાસ ના કામોનું લોકાર્પણ તેમજ રૂ.૮ કરોડથી વધુના કામોનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ સરસ્વતી નદીમાં તૈયાર થઈ રહેલ રીવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સિદ્ધપુર ખાતે રૂ.૪ કરોડથી વધુના વિકાસના કામોનું લોકા ર્પણ તેમજ રૂ.૮ કરોડથી વધુના કામોનું ખાર્તમુહૂર્ત કરવામા આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોથી વિસ્તારની પ્રગતિ થશે તેમજ વિસ્તારમાં ધરોઈ અને નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ પૂર્ણ થવા આવી છે. આમ આ વિસ્તાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સિદ્ધપુર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.
ટેગ્સ:#Siddhpur#Economic Growth#Local Governance#government initiatives#Clean Water Initiatives#Foundation Stone Laying#Cabinet Minister Balwantsinh Rajput#Development Works Inauguration#Urban Development Year 2025#Municipality Development#Saraswati Riverfront Project#Infrastructure Progress#Public Works Announcement#Urban Planning Efforts
સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
1 દિવસ પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
1 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
1 દિવસ પહેલા
