રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય11 સપ્ટેમ્બર, 2026| Super Admin

નેપાળ હોનારતમાં બ્રહ્માકુમારીઝે એક કરોડ એક લાખની સહાય કરી

નેપાળ હોનારતમાં બ્રહ્માકુમારીઝે એક કરોડ એક લાખની સહાય કરી

કાઠમંડુ ઝોનના વરિષ્ઠ ભાઈ-બહેનોએ નાણામંત્રી સ્વર્ણિમ વાગલેને ચેક સોંપ્યો

 નેપાળમાં આવેલી ભીષણ હોનારતના પીડિતોની મદદ અને પુનર્વસન માટે બ્રહ્માકુમારીઝ સંસ્થાએ માનવતાના હિતમાં મોટું પગલું ભર્યું છે. બ્રહ્માકુમારીઝના મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર, સંસ્થાના નેપાળ સ્થિત કાઠમંડુ ઝોન દ્વારા એક કરોડ એક લાખ રૂપિયાની સહાય રકમનો ચેક નેપાળ સરકારના નાણામંત્રી સ્વર્ણિમ વાગલેને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંસ્થા સાથે જોડાયેલા ભાઈ-બહેનો દ્વારા પીડિતોને રાશન સામગ્રી સહિત જરૂરી સામાન પહોંચાડીને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

કાઠમંડુ ઝોનના વરિષ્ઠ પદાધિકારી બીકે કિરણ દીદીએ જણાવ્યું હતું કે નેપાળમાં આવેલી ભીષણ હોનારતથી દરેક વ્યક્તિનું મન વ્યથિત છે. આવી મુશ્કેલ ઘડીએ પીડિતોની મદદ કરવાનો સંસ્થાના વરિષ્ઠ પદાધિકારીઓએ નિર્ણય લીધો હતો. બીકે રામસિંગ ભાઈ અને બીકે કિશોર ભાઈએ જણાવ્યું કે નાણામંત્રી સ્વર્ણિમ વાગલેને એક કરોડ એક લાખ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો છે. આ પ્રસંગે બીકે વિનોદ ભાઈ, બીકે દિલપ્રસાદ પોખરેલ અને બીકે શરદ બાબુ ભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજયોગ ધ્યાનથી પીડિતોને શુભ વાઇબ્રેશન

બીકે કુસુમ દીદીએ જણાવ્યું કે કાઠમંડુ સ્થિત સંસ્થાના મુખ્યાલય ખાતે આપત્તિ પીડિતો માટે વિશાળ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. તેમાં ત્રણ હજારથી વધુ ભાઈ-બહેનોએ કલાકો સુધી રાજયોગ મેડિટેશન દ્વારા પીડિતો માટે શુભ વાઇબ્રેશન આપ્યા હતા, જેથી તેઓ આ દુઃખદ ઘટનામાંથી વહેલી તકે માનસિક રીતે બહાર આવી શકે. રાજયોગી બીકે કરુણા ભાઈ, મહાસચિવ, બ્રહ્માકુમારીઝે જણાવ્યું કે સંસ્થા સામાજિક જવાબદારીના ભાગરૂપે આપત્તિગ્રસ્તોની મદદ કરતી રહી છે અને નેપાળના પીડિતો માટે પણ સહાયનો હાથ લંબાવ્યો છે.

રાજયોગી ડૉ. બીકે મૃત્યુંજય ભાઈ, અતિરિક્ત મહાસચિવ, બ્રહ્માકુમારીઝે જણાવ્યું કે સૌના સહયોગથી સુખમય સંસારના ઉદ્દેશ્ય સાથે સંસ્થાની સેવાઓ સતત ચાલુ છે. રાજસ્થાનના દુષ્કાળથી લઈને ગુજરાતના ભીષણ ભૂકંપ અને નેપાળની ત્રાસદી સુધી સંસ્થા કુદરતી આપત્તિના સમયે મદદ કરતી આવી છે. નેપાળના પીડિત લોકો વહેલી તકે આ દુઃખમાંથી બહાર આવી નવી શરૂઆત કરી શકે તેવી પરમાત્માને પ્રાર્થના વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર