પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની શુભકામનાઓ વ્યક્ત કરતા મુખ્યમંત્રી

શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રશ્નો બાબતે પણ મુખ્યમંત્રીએ ઘટતું કરી આપવાની હૈયાધારણા આપી
પાટણ શહેર માંથી નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રાને લઈને મંગળવારે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને તાજેતરમાં હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે વરણી થયેલ કે.સી.પટેલ સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત સમાજ આગેવાન તેમજ પાટણ શહેરના સિધ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ સનાતન સંસ્કૃતિના પ્રતિકો પુસ્તક મુખ્યમંત્રી ને અપૅણ કરી પાટણ ખાતે થી નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા મા પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. તો આ શુભેચ્છા મુલાકાત મા જોડાયેલા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી યશપાલ સ્વામી અને સમાજના આગેવાન શાંતિભાઈ સ્વામી એ પણ શ્રી પદ્મનાભ મંદિર ના કેટલાક પ્રશ્નોની યાદી લેખિતમાં મુખ્યમંત્રી ને આપી રજુઆત કરી હતી.
ટેગ્સ:#patan#Bhupendrabhai Patel#Religious Celebrations#Community Engagement#Social Leaders#Cultural Events#Rath Yatra#Lord Jagannath#Gujarat Chief Minister#Temple Trusts
સંબંધિત સમાચાર
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
2 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
2 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
3 દિવસ પહેલા
પાટણહારીજ પંથકમાં નરાધમતાની પરાકાષ્ઠા: સગીરા પર ત્રણ શખ્સોનો બળાત્કાર, ગુનો નોંધાયો
3 દિવસ પહેલા
