રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત1 જૂન, 2025| Super Admin

બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ MD અજય જોશીએ આપ્યું રાજીનામું મંજૂર

બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ MD અજય જોશીએ આપ્યું રાજીનામું મંજૂર

(જી.એન.એસ) તા. 1

વડોદરા,

બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ MD અજય જોશીએ રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું હતું જેને ડેરીની બોર્ડ મીટિંગ દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યું છે. આ રાજીનામું એવા સમયે મંજૂર થયું છે જ્યારે ડેરીમાં દૂધ મંડળીના હિસાબો અને વહીવટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, જેને કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

મહત્વનું છે કે, બરોડા ડેરી અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે. જેમાં દૂધના ભાવો ન મળવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, મેનેજીંગ ડિરેક્ટરના અચાનક રાજીનામાથી ચર્ચાઓ થઈ હતી. તો બરોડા ડેરીના MD પદે હિમાંશુ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. જોકે, નવા અધિકારી સાથે સુચારુ સંકલન જળવાઈ રહે તે માટે અજયકુમાર જોશી આગામી એક મહિના સુધી ફરજ પર ચાલુ રહેશે.

બરોડા ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ આ મામલાને વધુ ગંભીર બનાવ્યો છે. ધારાસભ્ય કેતન ઈનામદારે દૂધ મંડળીઓમાં મૃત વ્યક્તિઓના નામે દૂધ ભરાવીને પૈસા ઉપાડવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય અજીત ઠાકોરે પણ બરોડા ડેરીના સમગ્ર વહીવટ સામે અનેક આક્ષેપો લગાવ્યા હતા. જોકે, ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.



Source link

સંબંધિત સમાચાર