રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય19 મે, 2025| Super Admin

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ જબ્બાર માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ; 4 ના મોથ, અનેક ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ જબ્બાર માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ; 4 ના મોથ, અનેક ઘાયલ

(જી.એન.એસ) તા. 19

અબ્દુલ્લા,

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ અબ્દુલ્લા જિલ્લા સ્થિત જબ્બાર માર્કેટમાં રવિવારે વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. મળતા અહેવાલો મુજબ વિસ્ફોટના કારણે અહીં અનેક દુકાનો ધરાશાયી છે અને અનેક દુકાનોમાં આગ લાગી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ પણ કર્યું છે.

આ ઘટના બાબતે અબ્દુલ્લા જિલ્લાના નાયબ કમિશ્નર રિયાજ ખાને કહ્યું કે, ‘વિસ્ફોટમાં ચાર લોકોના મોત અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાનના ચાર અર્ધલશ્કરી દળોનું એક ફ્રન્ટિયર કોર બિલ્ડિંગ પાછળ જબ્બાર માર્કેટ સ્થિત ધડાકો થયો હતો. અજાણ્યા હુમલાખોરોએ બિલ્ડિંગના કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર પણ કર્યો છે.’ વિસ્ફોટ અને ફાયરિંગની ઘટના બાદ અધિકારીઓએ આખા વિસ્તારને ખાલી કરાવી સીલ કરી દીધો છે અને અજાણ્યા હુમલાખોરોને શોધી કાઢવા માટે ઓપરેશન શરુ કરી દીધું છે.

મહત્વનું છે કે, થોડા સમય પહેલા પણ બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના નાલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. નાલ વિસ્તારમાં એક ચેક પોસ્ટને નિશાન બનાવી ફાયરિંગ કરાતાં ચાર કર્મચારીઓના મોત થયા હતા. બલૂચિસ્તામાં લગભગ બે દાયકાથી અશાંતિ ફેલાયેલી છે. અહીં અવારનવાર વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના સુરક્ષા દળોને નિશાન બનાવી ઘાતક હુમલા કર્યા હતા.



Source link

સંબંધિત સમાચાર