રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
આંતરરાષ્ટ્રીય19 મે, 2025| Super Admin

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ જબ્બાર માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ; 4 ના મોથ, અનેક ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ જબ્બાર માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ; 4 ના મોથ, અનેક ઘાયલ

(જી.એન.એસ) તા. 19

અબ્દુલ્લા,

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ અબ્દુલ્લા જિલ્લા સ્થિત જબ્બાર માર્કેટમાં રવિવારે વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. મળતા અહેવાલો મુજબ વિસ્ફોટના કારણે અહીં અનેક દુકાનો ધરાશાયી છે અને અનેક દુકાનોમાં આગ લાગી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ પણ કર્યું છે.

આ ઘટના બાબતે અબ્દુલ્લા જિલ્લાના નાયબ કમિશ્નર રિયાજ ખાને કહ્યું કે, ‘વિસ્ફોટમાં ચાર લોકોના મોત અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાનના ચાર અર્ધલશ્કરી દળોનું એક ફ્રન્ટિયર કોર બિલ્ડિંગ પાછળ જબ્બાર માર્કેટ સ્થિત ધડાકો થયો હતો. અજાણ્યા હુમલાખોરોએ બિલ્ડિંગના કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર પણ કર્યો છે.’ વિસ્ફોટ અને ફાયરિંગની ઘટના બાદ અધિકારીઓએ આખા વિસ્તારને ખાલી કરાવી સીલ કરી દીધો છે અને અજાણ્યા હુમલાખોરોને શોધી કાઢવા માટે ઓપરેશન શરુ કરી દીધું છે.

મહત્વનું છે કે, થોડા સમય પહેલા પણ બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના નાલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. નાલ વિસ્તારમાં એક ચેક પોસ્ટને નિશાન બનાવી ફાયરિંગ કરાતાં ચાર કર્મચારીઓના મોત થયા હતા. બલૂચિસ્તામાં લગભગ બે દાયકાથી અશાંતિ ફેલાયેલી છે. અહીં અવારનવાર વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના સુરક્ષા દળોને નિશાન બનાવી ઘાતક હુમલા કર્યા હતા.



Source link

સંબંધિત સમાચાર