મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. શુક્રવારે સવારે લગ્ન સમારોહમાંથી લોકોને લઈ જતી હાઈસ્પીડ બસ પલટી જતાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ અકસ્માત અંગે માહિતી આપી છે. આ અકસ્માતમાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. 27 ઘાયલ લોકોને માનગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર મૃતકોની ઓળખ સંગીતા જાધવ, ગૌરવ દરાડે, શિલ્પા પવાર અને વંદના જાધવ તરીકે કરવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિની ઓળખ હજુ બાકી છે. બીજી તરફ રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એલપીજી ટેન્કર વાહન સાથે અથડાયું હતું. આ પછી ટેન્કરમાં આગ લાગી હતી. 40 જેટલા વાહનોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. જેમાં 35 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
રાષ્ટ્રીય21 ડિસેમ્બર, 2024
મહારાષ્ટ્રના રાયગઢમાં બસ વળાંક પર પલટી ગઈ અકસ્માતમાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન : અદાણી ડિફેન્સે પ્રથમ સ્વદેશી લાઇટ મશીનગન ભારતીય સેનાને સોંપી
12 કલાક પહેલા
રાષ્ટ્રીયસીએમ પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
17 કલાક પહેલા
રાષ્ટ્રીયઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
1 દિવસ પહેલા
