રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત18 એપ્રિલ, 2025| Super Admin

સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી

સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી

(જી.એન.એસ) તા. 18

સુરત,

ગુજરાતમાં સતત ગરમી પારો વધી રહ્યો છે, તો બીજી તરફ આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી એન્ક્લેવ-1મા અચાનક આગ લાગવાથી દોડાદોડી મચી જવા પામી હતી. લક્ષ્મી એન્ક્લેવ-1મા મીટર રૂમમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ઘટના ની પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી એન્ક્લેવ-1મા મીટર રૂમમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી. આગ લાગવાને કારણે અફરાતફરી મચી જવા પામી હતી. આ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતાં. એક યુવક લિફ્ટમાં ફસાઈ ગયો હોવાથી તેને પણ લિફ્ટમાંથી બહાર કાઢી લેવાયો હતો. આગની ઘટના બનતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી.

આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે ફાયરના જવાનોએ હાઈડ્રોલિક સાધનોનો ઉપયોગ કર્યો હતો. ફાયર વિભાગે કૂલ પાંચ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લીધા હતાં. આગ લાગવાનું મુખ્ય કારણ બિલ્ડિંગમાં મીટર રૂમમા સ્પાર્ક થયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર