આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ૧૦૪ કિમી લાંબી તિરુપતિ-પકલા-કટપડી રેલ્વે લાઇનના ડબલિંગને મંજૂરી આપી, જેનો ખર્ચ આશરે ₹૧,૩૩૨ કરોડ થશે. ભારતીય રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ "તિરુમાલા વેંકટેશ્વર મંદિર, તેમજ શિવ મંદિર, કનિપકમ વિનાયક મંદિર અને ચંદ્રગિરિ કિલ્લા જેવા અન્ય અગ્રણી સ્થળો સાથે જોડાણમાં સુધારો કરશે, જેનાથી દેશભરના યાત્રાળુઓ અને પ્રવાસીઓ આકર્ષિત થશે. બંને રાજ્યોના ત્રણ જિલ્લાઓને આવરી લેતો આ પ્રોજેક્ટ આશરે 400 ગામડાઓ સાથે જોડાણ વધારશે અને લગભગ 14 લાખ લોકોને લાભ આપશે. તિરુપતિ-કટપડી સેક્શન કોલસા, કૃષિ ચીજવસ્તુઓ, સિમેન્ટ અને અન્ય ખનિજોના પરિવહન માટે પણ એક આવશ્યક માર્ગ છે. ક્ષમતા વધારવાના કાર્યના પરિણામે વાર્ષિક ચાર મિલિયન ટનનો વધારાનો માલવાહક ટ્રાફિક થશે, એમ પ્રવક્તાએ ઉમેર્યું હતી. આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં લગભગ 113 કિમીનો વધારો કરશે.
રાષ્ટ્રીય10 એપ્રિલ, 2025
તિરુપતિ-કાટપડી રેલ્વે લાઇનને ₹૧,૩૩૨ કરોડના ખર્ચે બમણી કરવામાં આવશે

ટેગ્સ:#Approval#Andhra Pradesh#Economic#committee#Cabinet#Tirupati#Indian Railways#Katpati#Railway Line#Expenditure#Doubling#Pakla#Crore
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન : અદાણી ડિફેન્સે પ્રથમ સ્વદેશી લાઇટ મશીનગન ભારતીય સેનાને સોંપી
13 કલાક પહેલા
રાષ્ટ્રીયસીએમ પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
17 કલાક પહેલા
રાષ્ટ્રીયઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
1 દિવસ પહેલા
