રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત1 એપ્રિલ, 2025| Super Admin

મોરબીમાં મચ્છુ ડેમ 2ના દરવાજા રીપેરીંગ માટે આજે ખોલવામાં આવશે

મોરબીમાં મચ્છુ ડેમ 2ના દરવાજા રીપેરીંગ માટે આજે ખોલવામાં આવશે

મોરબી તાલુકાના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરાયા

(જી.એન.એસ) તા.1

મોરબી,

મોરબીમાં મચ્છુ 2 ડેમનાં 2 દરવાજા આજે 2 ફુટ ખોલવામાં આવશે. 1300 ક્યુસેકથી તબક્કા વાર 3500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરાયા છે.

મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ રીપેરીંગકામ માટે ખાલી કરવામાં આવશે. આવતીકાલથી તબક્કાવાર ડેમ ખાલી કરવાની શરૂઆત કરાશે. આવતીકાલે બપોરે 4 વાગ્યે બે દરવાજા બે ફૂટ ખોલી 1300 ક્યુસેક પાણી છોડવામાં આવશે. બાદમાં તબકકાવાર વધારીને 3500 ક્યુસેક પ્રવાહ પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળીયા તાલુકાના 9 ગામોને એલર્ટ અપાયું છે.

મોરબી તાલુકાના, જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જુના સાદુલકા,રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, સોખડા, અમરનગરનો સમાવેશ થાય છે. માળીયા તાલુકાના વીરપરડા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપુર, સોનગઢ, માળીયા (મી) ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ના કરવા સૂચના અપાઈ છે.

મોરબીના જોધપર, લીલાપુર, ભડીયાદ, ટીંબડી,ધરમપુર, નવાં સાદુળકા ગામ સહિત 20 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. માળિયાના વીરવદરકા,દેરાળા, નવાં ગામ,મેઘપર હરીપર સહિત 9 ગામો એલર્ટ કરાયા છે. મચ્છુ ડેમ 2ના ગેટના દરવાજા રીપેરીંગ માટે ડેમ ખાલી કરાશે. તમામ ગામોનાં સરપંચોને જાણકારી આપીને એલર્ટ કરાયા છે. ડેમ હેઠવાસના ગામોનાં લોકોને નદીનાં પટમાં અવરજવર નહીં કરવા અપીલ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર