રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય15 માર્ચ, 2025| Super Admin

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલમાં શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલમાં શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેશે

(જી.એન.એસ) તા. 15

કોલમ્બો,

ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં પાડોશી દેશ શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેશે. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા, દ્વિપક્ષીય સહયોગ વધારવા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાના સંદર્ભમાં પીએમની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી શ્રીલંકા સરકાર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. જેમાં માછીમારોના વિવાદો, વેપાર સંબંધો, સુરક્ષા સહયોગ અને પ્રાદેશિક સહયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી શ્રીલંકા સરકાર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. ગયા વર્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન ઘણા કરારો થયા. આ કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે પીએમ મોદી શ્રીલંકાની મુલાકાત લેશે. 2015 પછી પ્રધાનમંત્રી મોદીની શ્રીલંકાની આ ચોથી મુલાકાત હશે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે અહીં સંસદમાં બજેટ ફાળવણી પરની ચર્ચા પરના પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું હતું.

હેરાથે કહ્યું, ‘અમે અમારા પાડોશી દેશ ભારત સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા છે. અમારી પહેલી રાજદ્વારી મુલાકાત ભારતની હતી, જ્યાં અમે દ્વિપક્ષીય સહયોગ પર અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. તેમણે કહ્યું કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલની શરૂઆતમાં શ્રીલંકાની મુલાકાત લેશે. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, સંપુર સોલાર પાવર સ્ટેશનના ઉદ્ઘાટન ઉપરાંત, પીએમ મોદીની મુલાકાત દરમિયાન ઘણા નવા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર