રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત28 ફેબ્રુઆરી, 2025| Super Admin

વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી ગબ્બર પર રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ રહેશે

વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી ગબ્બર પર રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ રહેશે

(જી.એન.એસ) તા. 28

પવિત્ર અંબાજી ગબ્બર પરની રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ કરવામાં આવશે. તારીખ 03/03/2025થી 08/03/2025 સુધી રોપ-વે રહેશે બંધ. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો પગથિયા ચઢીને ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરી શકે છે. રોપ-વેની મેન્ટનેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

અંબાજી ખાતે ગબ્બર પર્વત પર બિરાજમાન માતાજીના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે મહત્વના સમાચાર છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન માટે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. રોપ-વેની વાર્ષિક જાળવણી અને સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

માતાજીના દર્શન કરવા આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની મેન્ટેનન્સ પ્રક્રિયા દરમિયાન, રોપ-વેના તમામ સાધનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જરૂરી સમારકામ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે.જે યાત્રિકો ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા ઇચ્છે છે, તેઓ પગથિયાં ચઢીને જઈ શકે છે. યાત્રિકોની સુવિધા માટે પગથિયાં પર પીવાના પાણી અને આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોપ-વેની મેન્ટેનન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, યાત્રિકો માટે રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે. યાત્રિકોને અસુવિધા માટે ખેદ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર