રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય10 ફેબ્રુઆરી, 2025| Super Admin

રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર

(જી.એન.એસ) તા. 10

નવી દિલ્હી,

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવાની માંગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 2013 માં યુપીએ(UPA) સરકાર દ્વારા ઘડવામાં આવેલ NFSA એક સીમાચિહ્નરૂપ કાયદો છે, જે ગ્રામીણ વસ્તીના 75 % અને શહેરી વસ્તીના 50 %ને સબસિડીવાળું અનાજ પૂરું પાડે છે. આ કાયદો લાખો ગરીબ પરિવારો માટે જીવનરક્ષક સાબિત થયો, ખાસ કરીને કોવિડ-19 કટોકટી દરમિયાન. જોકે, તેમણે ધ્યાન દોર્યું કે હાલમાં લાભાર્થીઓનો ક્વોટા 2011 ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવી રહ્યો છે, જે હવે સંબંધિત નથી. આના કારણે લગભગ 14 કરોડ ભારતીયો તેમના અધિકારોથી વંચિત રહી રહ્યા છે. સોનિયા ગાંધીએ ગરીબ અને વંચિત પરિવારો માટે વિલંબને ગંભીર સમસ્યા ગણાવી અને સરકારને વસ્તી ગણતરી વહેલી તકે પૂર્ણ કરવા વિનંતી કરી, જેથી દરેક પાત્ર નાગરિકને NFSA હેઠળ યોગ્ય લાભ મળી શકે. “ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પણ મૂળભૂત અધિકાર છે,” તેમણે ભાર મૂક્યો, અને સરકારને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી જેથી દેશના સૌથી જરૂરિયાતમંદ લોકોના અધિકારોનું રક્ષણ થઈ  શકે.

તેમજ વસ્તી ગણતરી ન કરવા બદલ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું, “સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર, 10 વર્ષની વસ્તી ગણતરીમાં 4 વર્ષથી વધુ સમય વિલંબ થયો છે. સરકારે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે આ ક્યારે કરવામાં આવશે, અને બજેટ ફાળવણી દર્શાવે છે કે આ વર્ષે પણ તે થવાનું નથી.

સંબંધિત સમાચાર