રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
ગુજરાત29 જાન્યુઆરી, 2026| Super Admin

ગીરના જંગલ તથા સમગ્ર લાયન લેન્ડસ્કેપ અને અન્ય વન વિસ્તારોના વન કર્મીઓને મળશે ખાસ સુવિધાથી સજ્જ વાહનો


(G.N.S) Dt. 29

ગીર સોમનાથ,

વનસંપદા અને વન્ય જીવ સૃષ્ટિમાં સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની વિવિધ કામગીરી માટે ફિલ્ડમાં ફરજ બજાવતા વનકર્મીઓને ચોક્કસ પ્રકારની ખાસ સુવિધાથી સજ્જ વાહનો આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં આવા 183 વાહનોને ગુરુવારે સવારે ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઈક, 6 બોલેરો કેમ્પર અને 3 મોડીફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સ ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફના પેટ્રોલિંગ, પ્રોટક્શન અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપલબ્ધ કરાવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી આ વાહન ફ્લેગ ઓફ કરાવતા પૂર્વે વહેલી સવારે સિંહ દર્શન માટે ગયા હતા અને દિવસ ની શરૂઆત ગીર ફોરેસ્ટ માં શિયાળાની ઠંડી સાથે કુદરતના ખુશનુમા સાનિધ્યમાં કરીને સિંહ દર્શનની રોમાંચક અનુભૂતિ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ખાસ સુવિધાથી સજ્જ આ વાહનોનું સંબંધિત વનકર્મીઓને ફાળવણી માટે ફ્લેગ ઓફ કરાવ્યું તે અવસરે વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી ડૉ. વિનોદ રાવ, અગ્રમુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ની પણ આ વેળાએ મુલાકાત લીધી હતી.

ગીર, બૃહદગીર અને સમગ્ર લાયન લેન્ડસ્કેપ તેમજ રાજ્યના અન્ય વન વિસ્તારોના વનકર્મીઓ માટે આ નવા ફાળવાયેલા વાહનો વધુ સક્ષમતાપૂર્વક ફરજો બજાવવા અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપયુક્ત બનશે.



Source link

સંબંધિત સમાચાર