રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
રાષ્ટ્રીય7 ઑક્ટોબર, 2025| Super Admin

પશ્ચિમ બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુ ઈજાગ્રસ્ત


(જી.એન.એસ) તા. 6

કોલકાતા,

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર મોટી ચોંકાવનારી ઘટના બની હતી જેમાં, નાગરકાટા વિસ્તારમાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે પહોંચેલા ભાજપ ધારાસભ્ય શંકર ઘોષ અને સાંસદ ખગેન મૂર્મુ પર સ્થાનિકોએ હુમલો કરી દીધો હતો. હુમલામાં ભાજપ નેતાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.  મામલો કંઇક એમ છે કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ ભાજપનું પ્રતિનિધિમંડળ પ.બંગાળની મુલાકાતે પહોંચ્યું હતું. ત્યારે આ પથ્થરમારાની ઘટના બની હતી. 

આ ઘટના મામલે ભાજપે રાજ્યની સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આ પથ્થરમારાનો આરોપ લગાવ્યો છે, કહ્યું કે, કામગીરી કરનારા ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપ નેતા અમિત માલવિયાએ આ હુમલાની ટીકા કરતાં ટીએમસી પર આરોપ મૂક્યો હતો કે, નાગરકાટાના પૂર પ્રભાવિત વિસ્તારોની મદદે જઈ રહેલા ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો હતો. ટીએમસી અને રાજ્યનું વહીવટી તંત્ર આ હુમલા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. મમતા બેનરજી કોલકાતા કાર્નિવલમાં ડાન્સ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો વાસ્તવમાં લોકોની મદદ કરવા ગયા હતાં, તેમના પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો.



Source link

સંબંધિત સમાચાર