રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત25 સપ્ટેમ્બર, 2025| Super Admin

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના ગ્રાન્ટમાંથી ભંડારીયા ગામે 20 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના ગ્રાન્ટમાંથી ભંડારીયા ગામે 20 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ

ભાવનગર તાલુકાના ભંડારીયા ગામે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

(જી.એન.એસ) તા.25

ભાવનગર

સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે સિહોર તાલુકાના સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત 20 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ 20 લાખના ખર્ચે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કુમાર શાળા ભંડારીયા ખાતેથી કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ” મંત્રને સાકાર કરવા માટે સતત કાર્યરત છે. એમ્બ્યુલન્સનું લોકાર્પણ થવાથી આસપાસના વિસ્તારોમાં ઝડપથી આરોગ્ય સુવિધા પૂરી પાડી શકાશે.

આ તકે સી.ડી.એચ.ઓ. શ્રી ડો. ચંદ્રમણી કુમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.કે.રાવત, જિલ્લા પંચાયત સભ્ય શ્રી કમુબેન ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીલાબેન મકવાણા, આગેવાન શ્રી ભૂપત ભાઈ ડાભી, શ્રી ભરતભાઈ મેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત સમાચાર