રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત21 ઑગસ્ટ, 2025| Super Admin

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીની કારણે ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા પ્રભાવિત


રાજકોટ ભાવનગર વચ્ચે રેલ પ્રવાસ કરતા લોકો માટે ધ્યાન રાખવા જેવી બાબત

(જી.એન.એસ) તા. 21

રાજકોટ,

પશ્ચિમ રેલવે હેઠળ આવતા ગુજરાતના રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીની કારણે ભાવનગર ડિવિઝનમાં ટ્રેન સેવા પ્રભાવિત. આ મામલે ભાવનગર રેલવે વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને પગલે આગામી 23 ઓગસ્ટ, 2025 સુધી આ ટ્રેક પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. 

રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેકની કામગીરીને લઈને ભાવનગર ડિવિઝનની અસરગ્રસ્ત ટ્રેનોની રેલવે તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં રદ કરાયેલી, આંશિક રદ ટ્રેન, ટ્રેનોના સ્ટોપેજ રદ કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે. 

રદ કરાયેલી ટ્રેનો:-

– ટ્રેન નં. 19251 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 20-8-2025 થી 22-8-2025 સુધી રદ રહેશે. 

– ટ્રેન નં. 19252 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 20-8-2025 થી 22-8-2025 સુધી રદ રહેશે. 

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:-

– ટ્રેન નં. 59206 પોરબંદર-કાનાલુસ લોકલ લાલપુર જામ-કાનાલુસ વચ્ચે તાત્કાલિક અસરથી 22-8-2025 સુધી આંશિક રીતે રદ રહેશે. 

– ટ્રેન નંબર 59205 કાનાલુસ-પોરબંદર લોકલ કાનાલુસ-લાલપુર જામ વચ્ચે તાત્કાલિક અસરથી 22-8-2025 સુધી આંશિક રીતે રદ રહેશે. 

આ પણ વાંચો: સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ

આ ટ્રેનોના સ્ટોપેજ રદ:-

– ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 23-8-2025 સુધી તાત્કાલિક અસરથી લાખાબાવળ સ્ટેશને રોકાશે નહીં. 

– ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 22-8-2025 સુધી તાત્કાલિક અસરથી લાખાબાવળ સ્ટેશને રોકાશે નહીં.



Source link

સંબંધિત સમાચાર