પોરબંદરમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
(જી.એન.એસ) તા.14
પોરબંદર,
૭૯માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવ પ્રસંગે પોરબંદર પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવશ્રીઓએ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source link





