રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
ગુજરાત1 ઑગસ્ટ, 2025| Super Admin

ભાવનગર શહેર ભાજપના ઉપાધ્યક્ષ નીતિન રાઠોડ પર થયેલા હુમલાના મામલામાં પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ 

ભાવનગર શહેર ભાજપના ઉપાધ્યક્ષ નીતિન રાઠોડ પર થયેલા હુમલાના મામલામાં પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ 

(જી.એન.એસ) તા. 1

ભાવનગર,

ભાવનગર પોલીસ વિભાગ દ્વારા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ નીતિન રાઠોડ પર થોડા દિવસ અગાઉ કરવામાં આવેલ હુમલાના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. આ હુમલો અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદની અદાવત રાખીને કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. શહેર ભાજપના ઉપાધ્યક્ષ નીતિન રાઠોડે અગાઉ કોઈ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના કારણે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.

ભાજપ નેતા પર હુમલો થયા બાદ આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામા આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલો કરનારા ચાર આરોપીઓમાંથી ત્રણને ઝડપી પાડ્યા હતા. જેમાંથી એક આરોપી હજુ ફરાર છે. ફરાર આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મહત્વનું છે કે, ભાજપના ઉપાધ્યક્ષ પર થયેલા આ હુમલાને કારણે રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા કરી રહી છે. પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈને વધુ તપાસ કરી રહી છે અને ફરાર આરોપીને પકડવા માટેના પ્રયાસો ચાલુ કર્યા છે. આ ઘટના અંગે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે. પોલીસે વધુ તપાસ કરતા ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.



Source link

સંબંધિત સમાચાર