રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત20 જુલાઈ, 2025| Super Admin

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સ્થિત પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યા

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સ્થિત પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યા

અમદાવાદના પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે ભોગાવો નદી પરના પુલની મુલાકાત લીધી

જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા

(જી.એન.એસ) તા. ૨૦

અમદાવાદ,

અમદાવાદના પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ માં અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની મુલાકાત લઈને એપ્રોચની કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સ્થિત પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યા હતા તેમજ જ્યાં પણ માર્ગોના મરામતની આવશ્યકતા હોય ત્યાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે માર્ગ પર ટ્રાફિકની સ્થિતિ અને ચાલી રહેલી કામગીરી સંદર્ભે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી એચ.કે.શાહ સહિત વહીવટી તંત્રના વિભાગોના પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ માં અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની એપ્રોચની કામગીરી પ્રગતિ હેઠળ છે.  એપ્રોચની કામગીરી દરમ્યાન ટ્રાફિકનું વહન એક જ લેનમાં કરવાનું હોઈ તેમજ એપ્રોચનું માટીકામ વરસાદી ઋતુ હોઈ ટ્રાફિક પર પડવાની શક્યતા હોઈને તથા ટ્રાફિકની સલામતી જોખમાવાની શક્યતા રહેલી હોવાથી વરસાદી ઋતુ દરમિયાન સલામતીને ધ્યાને લઇને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો બ્રિજ પરના ટ્રાફિકને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.



Source link

સંબંધિત સમાચાર