રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત20 જુલાઈ, 2025| Super Admin

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સ્થિત પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યા

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સ્થિત પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યા

અમદાવાદના પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે ભોગાવો નદી પરના પુલની મુલાકાત લીધી

જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા

(જી.એન.એસ) તા. ૨૦

અમદાવાદ,

અમદાવાદના પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ માં અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની મુલાકાત લઈને એપ્રોચની કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સ્થિત પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યા હતા તેમજ જ્યાં પણ માર્ગોના મરામતની આવશ્યકતા હોય ત્યાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે માર્ગ પર ટ્રાફિકની સ્થિતિ અને ચાલી રહેલી કામગીરી સંદર્ભે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી એચ.કે.શાહ સહિત વહીવટી તંત્રના વિભાગોના પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ માં અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની એપ્રોચની કામગીરી પ્રગતિ હેઠળ છે.  એપ્રોચની કામગીરી દરમ્યાન ટ્રાફિકનું વહન એક જ લેનમાં કરવાનું હોઈ તેમજ એપ્રોચનું માટીકામ વરસાદી ઋતુ હોઈ ટ્રાફિક પર પડવાની શક્યતા હોઈને તથા ટ્રાફિકની સલામતી જોખમાવાની શક્યતા રહેલી હોવાથી વરસાદી ઋતુ દરમિયાન સલામતીને ધ્યાને લઇને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો બ્રિજ પરના ટ્રાફિકને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.



Source link

સંબંધિત સમાચાર