રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત21 જૂન, 2025| Super Admin

ગુજરાતભરમાં તા. ૨૧ જૂન (આજ)થી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

ગુજરાતભરમાં તા. ૨૧ જૂન (આજ)થી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે રાજ્યના ૨૩,૪૦૦ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૬  હજાર હેક્ટરમાં થયું હતું. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી ૯૩ જેટલા ખરીદ કેન્દ્રો પરથી તા. ૨૧ જૂનથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.

ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ ૨૩,૪૮૮ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે. તે પ્રમાણે નિયત કરવામાં આવેલા ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોએ પોતાની જણસી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ખેડૂતો પાસેથી આવતીકાલ તા. ૨૧ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનિવાર્ય સંજોગોના કારણે તા. ૧૪ જૂને મોકુફ રખાયેલી ઉનાળુ માગના ટેકાના ભાવની ખરીદી આવતીકાલ તા.૨૧ જૂનથી શરૂ થશે.



Source link

સંબંધિત સમાચાર