- હોમ
- /Uncategorized
- /દેશમાં સનાતન બોર્ડ ને મંજુર કરો : જગતગુરુ શંકરાચાર્ય
દેશમાં સનાતન બોર્ડ ને મંજુર કરો : જગતગુરુ શંકરાચાર્ય

દેશમાં ચાલી રહેલ વકફ બોર્ડના વિવાદ વચ્ચે મોટું નિવેદન: વડગામ તાલુકાની પાવન ભૂમિ વરસડા ગામે ત્રીદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના સમાપન દિવસે મોટી સંખ્યા માં લોકો એ દર્શન નો લાભ લીધો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ માં આશીર્વચન આપવા આવેલ જગતગુરૂ શંકરાચાર્યજી એ મોટું નિવેદન આપતા સનાતન બોર્ડ ની ખુલી ને માંગ કરી હતી અને તમામ સનાતન સમાજ નો સહકાર માંગ્યો હતો.
વડગામ તાલુકા ના વરસડા ગામ ની પાવનભૂમિ ઉપર મંગળવાર થી ચાલી રહેલ શ્રી સિધ્ધ ગંગાપુરીજી ગુરૂ મહારાજ ના મંદિરે તેમજ બ્રહ્મલીન મહંતો ની સમાધિ ઉપર મૂર્તિ પ્રતિષ્ઠા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ મઠ ના સંતો મહંતો સહિત મોટી સંખ્યા માં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવ માં આશીર્વચન આપવા પધારેલ જ્યોતિમઠ બદ્રીકાશ્રમ ના શ્રીમદ્દ જગતગુરૂ શંકરાચાર્યજી સ્વામી વાસુદેવશ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજે દેશ માં ચાલી રહેલ વકફ બોર્ડ ના વિવાદ વચ્ચે કહ્યું હતું કે વકફ વકફ શુ છે.તેવો વેધક સવાલ કરી સનાતન બોર્ડ ની ધોષણા કરવા સરકાર પાસે માંગ કરી કહ્યું હતું કે સનાતન બોર્ડ ને મંજૂરી આપો અને સનાતન બોર્ડ માં માટે તમામ લોકો જાગૃત થઈ સહીયોગ આપે તેવી માંગ કરી હતી.
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
