પહેલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠક શરૂ : બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ.જયશંકર, કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સામેલ : પહેલગામ હુમલાને લઈને પાર્લમેન્ટમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના ઘણા નેતાઓ સામેલ છે.બેઠકમાં પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.આ પહેલાં કેન્દ્ર સરકારે પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ગુરુવારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 27 એપ્રિલથી તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા હોવાથી તેમણે ભારત છોડવું પડશે. જેમને મેડિકલ વિઝા મળ્યા છે તેમણે 29 એપ્રિલ, 2025 સુધીમાં ભારત છોડવું પડશે. વિદેશ મંત્રાલયે પણ ભારતીયોને પાકિસ્તાનની યાત્રા ન કરવાની સલાહ આપી છે. પાકિસ્તાને ભારત સાથેના શિમલા કરાર સહિત તમામ દ્વિપક્ષીય કરારો રદ કરી દીધા છે.
ટેગ્સ:#National Security#Terrorism#Ministry of External Affairs#bilateral relations#visa suspension#Home Minister Amit Shah#Defense Minister Rajnath Singh#Pahalgam Attack#All-Party Meeting#Two-Minute Silence#External Affairs Minister S. Jaishankar#Congress President Mallikarjun Kharge#Pakistani Citizens#Shimla Agreement#Parliament Proceedings
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયભારે વરસાની આગાહી, તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા આદેશ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીય1 ઓગસ્ટથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું મુશ્કેલ બનશે!
1 દિવસ પહેલા
રાષ્ટ્રીય500 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના માસ્ટરમાઇન્ડની પુણેથી ધરપકડ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીય'ભારતની નીતિ વિસ્તારવાદ નહિ પણ વિકાસવાદ માને છે'
1 દિવસ પહેલા
