રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહાકુંભ31 જાન્યુઆરી, 2025| Super Admin

Akasa Airએ પ્રયાગરાજ માટે ફ્લાઇટ ટિકિટ કરી સસ્તી, કિંમતોમાં 30 થી 45%નો કર્યો ઘટાડો

Akasa Airએ પ્રયાગરાજ માટે ફ્લાઇટ ટિકિટ કરી સસ્તી, કિંમતોમાં 30 થી 45%નો કર્યો ઘટાડો
Akasa Airએ પ્રયાગરાજ માટે ફ્લાઇટના ભાડામાં 30 થી 45 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે એરલાઈને આ શહેરમાં ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અગાઉ બુધવારે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપનીઓને પ્રયાગરાજની ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવા અને વાજબી હવાઈ ભાડાં જાળવી રાખવા જણાવ્યું હતું. અકાસા એરએ કહ્યું કે તેણે પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુથી પ્રયાગરાજ માટે વિશેષ ફ્લાઇટ શરૂ કરી છે. આ મુંબઈ અને દિલ્હીથી દૈનિક સીધી સેવાઓ ઉપરાંત છે. ટિકિટ 45% સસ્તી થઈ પીટીઆઈના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અકાસા એરએ પ્રયાગરાજની ફ્લાઈટ્સ માટે ટિકિટના ભાવમાં 30-45 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ બજેટ એરલાઈન ઈન્ડિગોએ પ્રયાગરાજ જતી ફ્લાઈટની ટિકિટ સસ્તી કરી હતી. ઈન્ડિગોએ પ્રયાગરાજ રૂટ પર ફ્લાઈટ ટિકિટ 30 થી 50 ટકા સસ્તી કરી છે.

સંબંધિત સમાચાર