સમી તાલુકામાં બોર બનાવવાની કામગીરી દરમ્યાન બે શ્રમિકોને કરંટ લાગવાની દુર્ઘટના સજૉતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. જયારે એક શ્રમિકને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની મળતી માહિતી મુજબ મંગળવારે સમી પંથકના નાયકા પાસે મેરામપુરા પાસે મીની બોર બનાવતી વખતે વાયર લઈને પસાર થતાં બે શ્રમિકો ખેતરમાંથી પસાર થતી અને ગામને જોડતી વીજલાઇનને સ્પશૅ કરતાં બંને શ્રમિકોને ભયંકર કરંટ લાગતાં બંને શ્રમિકો ફંગોળાઈને ફેકાઈ ગયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. જયારે એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક ૧૦૮ ની મદદથી પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ સમી પોલીસને થતા પોલીસ તેમજ UGVCL ના કર્મીચારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





