રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ15 માર્ચ, 2025| Super Admin

વ્યાજખોર ના ત્રાસથી ત્રસ્ત બનેલ ચારૂપ ના યુવાને ઝેર ઘોળ્યુ

વ્યાજખોર ના ત્રાસથી ત્રસ્ત બનેલ ચારૂપ ના યુવાને ઝેર ઘોળ્યુ
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી; પાટણ સરસ્વતી તાલુકાના ચારુપ ગામના 25 વર્ષીય જયંતીભાઈ રાવળ નામના યુવાને વ્યાજખોરની સતત ધમકીઓથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા અને બનાવની જાણ પરિવારના સભ્યો ને થતાં તેઓએ તાત્કાલિક સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તો બનાવની જાણ પોલીસ ને કરાતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ આજથીત્રણેક વર્ષ પહેલા ચારૂપ ગામના જયંતીભાઈ એ તેમના બીમાર ભાઈ કનુભાઈની સારવાર માટે પાટણના સિદ્ધરાજભાઈ પાસેથી 5% વ્યાજે 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.અને તેનું નિયમિત વ્યાજ જયંતીભાઈએ ચૂકવ્યું હતું અને અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હતા. પરંતુ થોડા સમય પહેલા જયંતીભાઈએ સિદ્ધરાજભાઈને એક ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતાં સિદ્ધરાજભાઈએ તેમની વિરુદ્ધ પાટણ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેને લઈને જયંતીભાઈએ હપ્તેથી પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી પરંતુ હપ્તા માટે સિદ્ધરાજભાઈ માન્યા ન હતાં અને તેઓ દ્ધારા વારંવાર જયંતીભાઈના ઘરે આવીને અપશબ્દો બોલી ધમકીઓ આપી કડક ઉઘરાણી કરતા હોય જે બાબત ના ત્રાસથી કંટાળીને જયંતીભાઈએ ગતરોજ ઝેરી દવા ગટગટાવી લેતા અને તેઓને ઉલટીઓ થતાં તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર