રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા18 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણાના વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે

મહેસાણાના વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫ યોજાશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા દ્વારા મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરત નાટયમ,ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં કરવામાં આવશે. મોઢેરા ખાતે પરંપરાગત રીતે યોજાતા  મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ-ર૦ર૫ માં આજે તા.૧૮/૦૧/ર૦ર૫ અને તા.૧૯/૦૧/ર૦ર૫ ના રોજ એમ બે દિવસીય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના ખ્યાતનામ ભારતના કલા અને નૃત્ય ક્ષેત્રના નામાંકિત કલાકારો ભાગ લેનાર છે. તા.૧૮ અને ૧૯ જાન્યુઆરી-ર૦ર૫ ના રોજ જે કલાકારો ઉત્તરાર્ધ મહોત્સવમાં ભાગ લેનાર છે તેમાં પ્રથમ દિવસે ૧૮મી જાન્યુઆરીના રોજ નૃત્ય કલાકાર શિતલ મકવાણા-ભરતનાટ્યમ, વાની માધવ-ઓડીસી, કૃપા રવિ-ભરતનાટ્યમ, દેવીકા દેવેન્દ્ર-કથ્થક, એશ્વર્યા વારીઅર-મોહિનીઅટ્ટમ, બિનલ વાળા-કથ્થક પોતાની કલા પ્રસ્તુતિ કરશે. ઉતરાણ મહોત્સવના બીજા દિવસે એટલે કે તારીખ ૧૯ મી જાન્યુઆરીના રોજ દિવ્યા પ્રજાપતિ-કથ્થક, કવિતા દ્રીબેડી-ઓડીસી, વૈદેહી કુલકર્ણી-કુચિપુડી, કૃષ્ણક્ષી કશ્યપ-સતરીયા, જાનવી પરમાર-ભરતનાટ્યમ જેવા વિવિધ નૃત્યો દ્વારા કલા રસિકોને નૃત્ય રસ પાન કરાવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ લાંબો-મોટો થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિણામે સૂર્યમંદિરના પરિસરમાં આ મહોત્સવ ઉજવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ- ૧૯૯૨થી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર