રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ25 જાન્યુઆરી, 2026| Super Admin

ચાણસ્માના ઈટોદા ગામે ઠાકોર સમાજની બેઠકમાં સમાજનું નવું બંધારણ ઘડાયું

ચાણસ્માના ઈટોદા ગામે ઠાકોર સમાજની બેઠકમાં સમાજનું નવું બંધારણ ઘડાયું
સાંસદ ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં સમાજના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામે રવિવારે  ચાણસ્મા તાલુકા ઠાકોર સમાજની એક અગત્યની મીટીંગ મળી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ આજુબાજુના ગામો માંથી સરપંચો અને સદસ્યો સહિત સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાજેતરમાં ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલ બંધારણને લઈ હવે ચાણસ્મા તાલુકામાં પણ તેની અમલવારી કરાવવા માટે નિર્ણય લેવાયો હતો.તાજેતરમાં બનાસકાંઠાના ઓગડ ખાતે ઠાકોર સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ સમાજના પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા અને કુરિવાજો દૂર કરવા માટે ઘડવામાં આવેલ બંધારણને હવે દરેક ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે. જેને લઇ રવિવારે ચાણસ્મા તાલુકા ઠાકોર સમાજની બેઠક ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામે રાખવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોર,ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર,બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા ચાલુ ધારાસભ્ય સુખાજી ઠાકોર અને કલોલ ના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત ઠાકોર સમાજના વડીલ અને પૂર્વ ધારાસભ્ય ગાંડાજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા માટે અને કુરિવાજો દૂર કરવા માટે સમાજે જે બંધારણ ગત સમયમાં નક્કી કર્યું છે તેનું ચુસ્તપણે પાલન કરવા માટે તૈયારી દર્શાવી હતી. ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, હાલમાં સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે અને હવે સમાજે જે બંધારણ કર્યું છે. તેનો આવનાર દિવસોમાં ઘણો ફાયદો થશે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ સમાજને કુરિવાજો અને અંધશ્રદ્ધા માંથી દૂર રહી અને શિક્ષણ તરફ આગળ વધવા હાકલ કરી હતી.      

સંબંધિત સમાચાર